Rajkot: જય ગણેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિકને ચેક રિટર્નનો કેસમા 1 વર્ષની સજા

Share:
ચેકની રકમનું સવા ગણું  વળતર  ચૂકવવા અદાલતનો હુકમ
Rajkot,તા.11
શહેરના મવડી ચોકડી ખાતે આવેલા જય ગણેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના માલિક સામેનો ચેક રિટર્નનો કેસ ચાલી જતા અદાલતે એક વર્ષની સજા અને ચેકની રકમની સવા ગણિ રકમ વળતર પેટે ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા ગુણવંતભાઈ ભવનભાઈ ગજેરાએ મવડી ચોકડી ખાતે આવેલા જય ગણેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના ધંધાથી સંદીપભાઈ ધીરજભાઈ મેઘાણી નામના વેપારીએ મિત્રતાના દાવે 1.10 લાખ હાથ ઉછીના લીધા હતા. જે રકમ ચૂકવવા આપેલો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ જય ગણેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક સંદીપ મેઘાણીને વકીલ મારફતે નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે નેગોસીએબલ એકટ  હેઠળ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. જે ફરિયાદની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ અને દસ્તાવેજી પુરાવા અંતે હાઇકોર્ટના પ્રતિપાદિત થયેલા સિદ્ધાંતો રજૂ રાખેલા  એ ધ્યાને લઇ એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ એમ એ પીપરાણીએ આરોપી સંદીપ મેઘાણીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને ચેક ની રકમની સવાગણી  1.37.500 ફરિયાદીને બે માસમાં વળતર તરીકે ચૂકવી આપવા હુકમ કરેલો જો  રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલો છે. આ કામમાં ફરિયાદી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી કેતન દવે, બિનિતા શાહ, અજય દાવડા ,યસ ચોરેલા મિત સોમૈયા અને જીજ્ઞાબેન કારીયા રોકાયા હતા

Leave a comment

Your email address will not be published. Required fields are marked *