Kotdasangani:શાકરો રોડ ઉપર રોજે રોજ ટ્રાફિકની સમસ્યા રહેશે,ટ્રાફિક ની સમસ્યા ક્યારે દૂર થશે ?

Share:

Kotdasangani,તા.04

કોટડાસાંગાણી તાલુકા મથક નું ગામ આવેલ છે જે માં દરેક ગામો ના તાલુકા સાથે સંકળાયેલા હોય છે આ તાલુકા મથકે અનેક સરકારી શ્રી કચેરીઓ આવે છે જે આ તાલુકા મથકે મેઇન રોડ ઉપરથી વાહન પસાર થતા હોય છે તે આ રોડ સાંકડો હોય છે જેમાં એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થાય છે તંત્ર ક્યારે જાગશે અને ટ્રાફિકની સમસ્યા ક્યારેય દૂર કરવામાં આવશે અનેક મોટા વાહનો ટ્રાફિકની સમસ્યામાં હોય છે જેમાં નાના વાહનોને આ રોડ ઉપરથી નીકળવું ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે આ રોડ સાકરનો હોય છે જેમાં એમ્બ્યુલસ પણ આ ટ્રાફિકમાં મુશ્કેલી વેઠવી પડે છે અને એસટી બસોને અને મોટા વાહનોને ભારે મુશ્કેલી બેઠવી પડે છે આ રોડ ઉપર પ્રાથમિક તાલુકા શાળા અને કન્યાશાળા ઓ આવે છે જેમાં બાળકોને રોજે રોજ સ્કૂલે જવા માટે ભગવાન ભરોસે જવું પડે છે વાહનોની મોટી અવર-જવર થતી હોય છે જેમાં બાળકોને નિશાળે જવું પડે છે જેમાં લોકોને રોડ ઉપરથી શાકભાજી અને કરિયાણાની વસ્તુ ખરીદી કરવા માટે પોતાનો જીવ જોખમમાં મુકીને ખરીદી કરવી પડે છે આ રોડ ઉપર રોજે રોજ ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન ઊભી થાય છે જેમાં તે વાર ઉપર અને લગ્નગાળાની સીઝન ઉપર આ રોડ ઉપર ટ્રાફિક ઘણી બધી વાર વાહનો ને નીકળવું મુશ્કેલ બને છે આ રોડ બાયપાસ મંજૂર કરવામાં આવેલ છે હજુ સુધી બાયપાસ રોડનું કામ ચાલુ કરવામાં આવેલ નથી જે તંત્ર દ્વારા પૂછવામાં આવે છે કે આ બાયપાસ રોડ ક્યારે કામ ચાલુ થશે કે તંત્ર દ્વારા જણાવે છે કે વહીવટીયામાં છે જેમાં તંત્ર આ રોડ ઉપર તાત્કાલિક બાયપાસ રોડનું કામ ચાલુ કરવામાં આવે તેવી લોકોની અને વાહનચાલકોની માંગણી કરવામાં આવી રહી છે જેમાં આ રોડ સાકરો ઉપરથી એમ્બ્યુલસસો ઘણી બધી વાર ટ્રાફિકની સમસ્યામાં રોકાવું પડે છે તેમજ તાલુકાના ઉચ્ચક અધિકારીઓની ગાડીઓ પણ આ ટ્રાફિકમાં ઘણી બધી વાર રોકાઈ જતી હોય છે તેવું પણ જોવા મળી રહ્યું છે કોટડાસાંગાણી માં ગુરુદત્ત મંદિર થી સરકારી હોસ્પિટલ સુધી ટ્રાફિકની સમસ્યા ક્યારે દૂર થશે તેવી લોકોમાં ચર્ચા કરવામાં આવી રહી છે અને વહેલી તકે તંત્ર જાગૃત થાય તેવી લોકોમાં માંગણી કરવામાં આવી રહી છે અને ટ્રાફિક સમસ્યા વહેલી તકે હલ થાય અને ગામ લોકોને ટ્રાફિકથી રાહત મળે તેવી માંગણી કરવામાં આવી રહી છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *