Salangpur,તા.26
સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ 26-12-2024ને ગુરુવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને 233 માં શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિન નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને તબલા, હારમોનીયમ, વીણા, વાંસળી, બેંજો, મંજીરા, ડ્રમ, ડમરૂ, ડફલી સિતાર, ગીટાર, ઢોલ, શરણાઈ વિવિધ સંગીતના વાદ્યોનો દિવ્ય શણગાર કરાવવામાં આવેલ.
એવં શ્રીહરિ મંદિરમાં ઠાકોરજીને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યા હતા. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતીપવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.16 -12-2024 થી 14 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે 7 થી 12 અને સાંજે : 3 થી 6 કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.