Vadodaraના પાણીગેટમાં બાવામાનપુરામાં જુના ઝઘડાની અદાવતે ચાકુથી હુમલો

Share:

Vadodara,તા.16
વડોદરાના પાણીગેટમાં બાવામાનપુરા મસ્જિદ પાસે રહેતા યાકુબ ઉર્ફે કાલીઓ સિકંદરશા દીવાને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 10:00 વાગે મારા પરિવારજનો માટે શાક લેવા માટે મારે પાણીગેટ લીમવાલી મસ્જિદ જવાનું હતું. મારી પાસે બાઈક ન હોય મારા મિત્ર નઈમ શેખને ફોન કરીને બોલાવતા તે આવ્યો હતો.

ત્યારબાદ અમે બંને જણા બાઈક લઈને કાગડાને ચાલ નાકા પાસે ગલ્લા પર સિગરેટ પીવા માટે ઊભા હતા તે વખતે આશિફ હુસેન અમારી પાસે આવ્યો હતો અને અગાઉના ઝઘડાની અદાલત રાખી ગાળો બોલવા લાગ્યો હતો અને આ તેને ગાળો નહીં બોલવાનું જણાવ્યું હતું. ત્યારબાદ અમે વીમા દવાખાના પાસે શબ્બીર છોટુમિયા માલિક પાસે ગયા હતા. તે દરમિયાન હુસેન શાહ બાવામાનપુરા બાવાની દરગાહ પાસે ગાળો બોલતો હતો, જેથી અમે ત્રણેય જણા ત્યાં ગયા હતા. આસિફ હુસેને એકદમ ચાકુ વડે મારા ડાબા હાથના કાંડાના ભાગે ઈજા પહોંચાડી હતી મને લોહી નીકળવા લાગ્યું હતું અને હું બેભાન થઈ ગયો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *