Rahul Gandhi એ ઓબીસી માટે ૪૨ ટકા અનામતનું સમર્થન કર્યું,એક્સ-રે દ્વારા જ અધિકાર મળશે

Share:

New Delhi,તા.૧૮

તેલંગાણા સરકારે રાજ્યમાં ઓબીસી માટે ૪૨ ટકા અનામતની જાહેરાત કરી. તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ રાજ્યમાં શિક્ષણ, નોકરીઓ અને રોજગાર અને રાજકીય પ્રતિનિધિત્વમાં ઓબીસી વસ્તી માટે ૪૨ ટકા અનામત સુનિશ્ચિત કરવા વિશે વાત કરી. હવે કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેલંગાણા સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી છે. રાહુલ ગાંધીએ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર એક ક્રાંતિકારી પગલું ગણાવ્યું. આ સાથે તેમણે કહ્યું કે એક્સ-રે એટલે કે જાતિ વસ્તી ગણતરી દ્વારા જ પછાત અને વંચિત સમુદાયોને તેમના હક મળી શકે છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટિ્‌વટર પર લખ્યું, “કોંગ્રેસ સરકારે તેલંગાણામાં ઓબીસી અનામત વધારવાનું પોતાનું વચન પૂર્ણ કર્યું છે. વૈજ્ઞાનિક જાતિ વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં ઓબીસીની વાસ્તવિક સંખ્યા સ્વીકારવામાં આવી છે અને શિક્ષણ, રોજગાર અને રાજકારણમાં તેમની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે વિધાનસભામાં ૪૨% અનામત માટેનું બિલ પસાર કરવામાં આવ્યું છે. આ ખરેખર સામાજિક ન્યાય તરફ એક ક્રાંતિકારી પગલું છે, જેણે રાજ્યમાં અનામત પર ૫૦% ની દિવાલ પણ તોડી નાખી છે.”

તેમણે એકસ પર આગળ લખ્યું, “જાતિ સર્વેક્ષણના ડેટા સાથે દરેક સમુદાયની સામાજિક અને આર્થિક સ્થિતિનું વિશ્લેષણ કરીને, એવી નીતિઓ બનાવવામાં આવશે જે બધાની સુધારણા સુનિશ્ચિત કરશે. તેલંગાણા સરકારે આ માટે એક સ્વતંત્ર નિષ્ણાત જૂથની પણ રચના કરી છે. હું સતત કહેતો આવ્યો છું કે ફક્ત એક્સ-રે એટલે કે જાતિ વસ્તી ગણતરી દ્વારા જ પછાત અને વંચિત સમુદાયોને તેમના હક મળી શકે છે. તેલંગાણાએ રસ્તો બતાવ્યો છે, આ સમગ્ર દેશની જરૂરિયાત છે. ભારતમાં જાતિ વસ્તી ગણતરી થશે, અમે તે કરાવીશું.”

તમને જણાવી દઈએ કે તેલંગાણામાં ઓબીસીને ૪૨ ટકા અનામતની જાહેરાત કરતી વખતે, મુખ્યમંત્રી  રેવંત રેડ્ડીએ ટિ્‌વટર પર લખ્યું હતું કે, “તેલંગાણા ભારતમાં સામાજિક ક્રાંતિનું નેતૃત્વ કરવા બદલ ગર્વ અનુભવે છે. મને એ જાહેરાત કરતા ગર્વ થાય છે કે ભારતીય સ્વતંત્રતા પછી પછાત જૂથોની સૌથી લાંબી માંગ, પછાત જાતિના આપણા ભાઈ-બહેનોની સત્તાવાર વસ્તી ગણતરીમાં ગણતરી અને માન્યતા મેળવવાની ઇચ્છા આખરે પૂર્ણ થઈ ગઈ છે.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *