દુનિયાભરમાં ૨૪ લોકોને જ છે એવી બિમારીનો કેસ Meghalaya માં નોંધાયા

Share:

૧૪ વર્ષ બાદ ફરી પોલિયોનો મામલો સામે આવ્યો : બાળકમાં પોલિયોમેલિટિસના લક્ષણો જોવા મળ્યા

નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે જોખમીે

New Delhi, તા.૨૧

મેઘાલયમાં બે વર્ષના બાળકમાં પોલિયોની પુષ્ટિ થયા બાદ આરોગ્ય વિભાગ હાઈ એલર્ટ પર છે. ૨૦૧૧ પછી દેશમાં પોલિયોનો એક પણ કેસ નોંધાયો નથી. આથી WHOએ ૨૦૧૪માં ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો. પરંતુ ૧૪ વર્ષ બાદ ફરી પોલિયોનો મામલો સામે આવ્યો છે, જેના કારણે દેશભરમાં ચિંતા વધી ગઈ છે. પોલિયો એ એક વાયરસ છે જે બાળકોનમાં ગંભીર વિકલાંગતાનું કારણ બની શકે છે. તેનો કોઈ ઈલાજ નથી, તેથી આ રોગને રોકવા માટે રસીકરણ એ જ સૌથી અસરકારક ઉપાય છે.

મેઘાલયના પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાના ટીકરીકિલા ગામમાં પોલિયોનો કેસ નોંધાયો હતો. બે વર્ષના બાળકમાં પોલિયોના લક્ષણો જોવા મળ્યા છે. હાલ બાળકની આસામના ગોલપારા જિલ્લાની હોસ્પિટલમાં એક્યુટ ફ્લેક્સિડ પેરાલિસિસની સારવાર ચાલી રહી છે.

કેન્દ્રના અધિકારીના જણાવ્યા અનુસાર, આ ચેપ એવા લોકોમાં થાય છે, જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. મેઘાલયના સીએમ કોનરાડ કે સંગમાએ જણાવ્યું હતું કે બાળકમાં એક અઠવાડિયા કરતાં વધુ સમય પહેલા પોલિયોમેલિટિસના લક્ષણો જોવા મળ્યા હતા. આથી બાળકના મળ અને અન્ય સેમ્પલ લેવામાં આવ્યા છે. જેને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ WHO ના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી (ICMR) ના કેન્દ્રોમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

આ બાબતે સીએમએ રાજધાની શિલોંગમાં પત્રકારોને કહ્યું કે મામલો ગંભીર છે. આથી સરકાર તેની સમીક્ષા કરી રહી છે. ઓરલ પોલિયો રસી NIV) ઘણી ઓછી માત્રામાં વાયરસ હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર કામ કરે છે.

જો રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો રસી આપ્યા બાદ તેની અસર લાંબા સમય સુધી રહી શકે છે. આથી જેટલા લાંબા સમય સુધી તે શરીરમાં રહેશે તેટલી વધુ તે નુકસાન પહોંચાડશે. અમુક કેસમાં તે લકવાનું કારણ પણ બની શકે છે. WHO અનુસાર આ સર્ક્‌યુલેટિંગ વેક્સીન ડિરાઇવ્ડ પોલિયો વાયરસ (Circulating vaccine derived poliovirus) છે.

૨૦૦૦ થી ૩ અબજ બાળકોને ૧૦ બિલિયનથી વધુ OPV ડોઝ આપવામાં આવ્યા છે. ત્યારે હવે ભારતમાં જે નવો કેસ સામે આવ્યો છે તેવા ૨૪ કેસ ૨૧ દેશોમાં નોંધાયા છે.જો બાળકને તાવ, થાક, ઝાડા, કબજિયાત અથવા માથાનો દુખાવા સાથે ઉલ્ટી થાય છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. આ ટૂંકા ગાળાના ચેપનું કારણ બની શકે છે. નવા કેસ માટે પોલિયોની રસી જવાબદાર છે. એક પોલિયો વાયરસ બીજા પોલિયો વાયરસને મારી નાખે છે. જો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો તે લાંબા સમય સુધી શરીરમાં રહે છે. આ સમયગાળા દરમિયાન ઘણી વખત પરિવર્તન કરવાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *