Modi એ Kisan યોજનાનો ૧૯મો હપ્તો કર્યો જાહેર

Share:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાગલપુરમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં યોજનાનો ૧૯મો હપ્તો જાહેર કર્યો હતો

New Delhi, તા.૨૪

દેશભરના કરોડો ખેડૂતો માટે એક સારા સમાચાર છે. ભાગલપુરમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯મો હપ્તો બહાર પાડ્યો છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ દેશભરના લગભગ ૯.૮ કરોડ ખેડૂતોના ખાતામાં DBT દ્વારા ૨૨ હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી.

૧૯ મા હપ્તાનો લાભ મળ્યા બાદ દેશભરના કરોડો ખેડૂતો ખૂબ ખુશ છે. ગયા વર્ષે ૫ ઓક્ટોબરના રોજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૮મો હપ્તો બહાર પાડ્યો હતો. ૧૮ મો હપ્તો મળ્યા બાદ, દેશભરના કરોડો ખેડૂતો ૧૯ મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેમની રાહ આજે પૂરી થઈ ગઈ છે. તે જ સમયે, દેશમાં ઘણા ખેડૂતો છે જેમના ખાતામાં ૧૯મા હપ્તાના પૈસા મળ્યા નથી.

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૧૯મો હપ્તો ખાતામાં ન આવવાનું મુખ્ય કારણ યોજનામાં ઈ-કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી ન થવી છે. જો તમે આ બે મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કર્યા નથી, તો આ એક મુખ્ય કારણ છે જેના કારણે ૧૯મા હપ્તાના પૈસા તમારા ખાતામાં આવ્યા નથી. તે જ સમયે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં અરજી કરતી વખતે જે ખેડૂતોએ કોઈ ખોટી માહિતી દાખલ કરી હતી તેમના ખાતામાં ૧૯ મા હપ્તાના પૈસા આવ્યા નથી. જો તમે અટકેલા ૧૯ મા હપ્તાનો લાભ મેળવવા માંગતા હો, તો તમારે શક્ય તેટલી વહેલી તકે યોજના હેઠળ ી-દ્ભરૂઝ્ર અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી જોઈએ. આ ઉપરાંત તમારે યોજનામાં દાખલ કરેલી તમારી ખોટી વિગતો પણ શક્ય તેટલી વહેલી તકે સુધારવી જોઈએ.

પીએમ કિસાન સન્માન નિધિ એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મોટી યોજના છે. આ યોજના હેઠળ ભારત સરકાર ગરીબ ખેડૂતોને દર વર્ષે ૬ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. ૬ હજાર રૂપિયાની આ નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં ભારત સરકારે આ યોજનાના કુલ ૧૯ હપ્તા જારી કર્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ૧૮મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા દેશભરના ૨.૫ કરોડ ખેડૂતોના ખાતામાં ૨૦૦૦ રૂપિયાના હપ્તા જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ૧૮મા હપ્તા માટે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ ખર્ચી છે. જો કોઈ કારણસર તમારા ખાતામાં પૈસા નથી આવ્યા તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા ઘરની નજીકના કોઈપણ છ્‌સ્ પર જઈને મિની સ્ટેટમેન્ટ ચેક કરી શકો છો. આ સિવાય તમે હેલ્પલાઈન નંબર ૦૧૨૦-૬૦૨૫૧૦૯, ૦૧૧-૨૪૩૦૦૬૦૬ પર પણ કોલ કરી શકો છો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *