Morbi માં હોળીની રાત્રે ૫૧ દીવડાની આરતી બાદ માટેલ પદયાત્રા સંઘ પ્રસ્થાન કરશે

Share:

Morbi,તા,12

નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ હોળીની રાત્રે માટેલ આઇશ્રી ખોડીયારધામ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૧૩ ને ગુરુવારે હોળીના દિવસે રાત્રે ૯ કલાકે દરબારગઢ મંદિર ખાતે ૫૧ દીવડાની આરતી માટેલ મહંત શ્રી ખોડીદાસ બાપુ કરશે અને બાદમાં પદયાત્રા સંઘ પ્રસ્થાન કરશે

નવાડેલા રોડ મિત્ર મંડળ દ્વારા ૧૯ માં વર્ષે હોળીની રાત્રે મોરબીથી વાંકાનેરના માટેલધામ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આઇશ્રી ખોડીયાર માતાજીના રથ સાથે પદયાત્રા રાત્રીના ૯ : ૩૦ કલાકે દરબારગઢ મોરબી ખાતેથી પ્રસ્થાન કરશે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *