Mahakumbh ની સુરક્ષા સૈન્યને કેમ સોંપી ન હતી? મહામંડલેશ્વર પ્રેમાનંદ રડી પડયા

Share:

Prayagraj,તા.29

પ્રયાગરાજમાં મહાકુંભમાં મંગળવારે મધ્યરાત્રિએ ભીડ એટલું વધી ગઈ કે નાસભાગ મચી હતી. સંગમ કિનારે ભયંકર ભીડને કારણે થયેલી નાસભાગમાં 17 વધુ લોકોના મૃત્યુ અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતાં.

’મારું હૃદય ખૂબ જ દુ:ખી છે’ આ પરિસ્થિતિ વિશે વાત કરતી વખતે પંચાયતી અખાડાના મહામંડલેશ્વર પ્રેમાનંદ પુરી શ્રી નિરંજની અચાનક રડવા લાગ્યા. તેમણે જણાવ્યું હતું કે, ’અમે પહેલાથી જ કહ્યું હતું કે કુંભની સુરક્ષા સેનાને સોંપવી જોઈએ પરંતુ કોઈએ અમારી વાત સાંભળી નહીં.

કુંભ વહીવટી તંત્ર દ્વારા દૂષિત હતો. આ વાત આવે ત્યારે ભીડને સંભાળવાનું કામ પોલીસનું નથી. આનું પરિણામ એ આવ્યું કે અનેક પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા. આ ખૂબ જ દુ:ખદ સમાચાર છે, મારું હૃદય ખૂબ જ દુ:ખી છે.’તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ’જો કુંભને સેનાને સોંપવામાં આવ્યો હોત, તો મને નથી લાગતું કે આટલો મોટો અકસ્માત થયો હોત. મને ખૂબ જ દુ:ખ છે.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *