Rajkot :એમએસીપી ની ચૂંટણી જાહેર, તા.3 માર્ચે મતદાન

Share:
સોમવાર અને મંગળવાર બપોરના બે વાગ્યા સુધી  ઉમેદવારી ફોર્મ ભરી શકશે, તા.27ના રોજ ફોર્મ પરત ખેચાશે અને સાંજે પાંચ વાગ્યે આખરી યાદી પ્રસિદ્ધ થશે
Rajkot,તા.22
બાર એસોસિએશનની ચૂંટણીના પડઘા હજુ શાંત પડ્યા નથી ત્યાં નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે એમએસીપી બાર એસોસિએશનની ચૂંટણીનું બ્યુન્ગલ ફૂંકાયું છે. જેમાં ચૂંટણી અધિકારી દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આગામી સોમવારે ફોર્મ ભરવાનો શુભારંભ થયો છે. આગામી 3 માર્ચના રોજ નવા કોર્ટ બિલ્ડીંગ ખાતે એમએસીપી બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે.

રાજકોટ એમએસીપી બાર એસોસિએશનના હોદ્દેદારોની બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે આગામી વર્ષ 2025 ના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની આગામી 3 માર્ચના રોજ ચૂંટણી યોજવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. 2025ની ચૂંટણીના કમિશનર તરીકે રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ સંજય વ્યાસની નિમણૂક થયા બાદ તેમને એમએસીપી બાર એસોસિએશનની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં પ્રમુખ, ઉપ પ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ટ્રેઝરર અને સાત કારોબારી સભ્યો સહિત કુલ 12 હોદા ઉપર આગામી તા. 24 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરીના બપોરના બે વાગ્યા સુધી ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી શકશે જ્યારે તા.27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી લડવા નહિ માંગતા ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકાશે જ્યારે તા.27 ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ વાગ્યે આખરી યાદી જાહેર કરવામાં આવશે તેમજ તા.3 માર્ચ 2025 ના રોજ નવા કોર્ટ બિલ્ડીંગમાં બી વિંગના પહેલા મળે એમ.એ.સી.પી. બાર એસોસિએશનના રૂમમાં સવારે 10 થી બપોરના બે વગયા સુધી મતદાન યોજાશે. અને બપોર બાદ મતગણતરી કરી પરિણામ જાહેર કરવામાં આવશે તેવું એમએસીપી બાર એસોસિયેશનના ચૂંટણી કમિશનર સંજય જે. વ્યાસની યાદીમાં જણાવ્યું છે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *