Jharkhand,તા.30
ઝારખંડના ચક્રધરપુરમાં આજે (30 જુલાઈ) વહેલી સવારે ટ્રેન નંબર 12810 હાવડા-સીએસએમટી એક્સપ્રેસ ચક્રધરપુર નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
ઝારખંડ (Jharkhand)ના ચક્રધરપુર (Chakradharpur) નજીક મુંબઈ હાવડા મેલ માલગાડી સાથે ટક્કર થયા બાદ 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સૂત્રો પાસેથી મળતા અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં 2ના મોત થયા છે જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના રાજખારસ્વાન અને બડાબામ્બો વચ્ચે બની હતી.
વહેલી સવારે બની દુર્ઘટના
રેલ્વે અધિકારીઓના જણાવ્યાનુસાર સવારના લગભગ પોણા 4 વાગ્યે ચક્રધરપુર રેલવે ડિવિઝન પર ઈમરજન્સી એલર્ટ આવ્યું હતું. હાવડાથી મુંબઈ જતી મેલ એક્સપ્રેસ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાના સમાચારથી ઓફિસમાં ખળભળાટ મચી ગયો હતો.