IPL 21 માર્ચથી શરૂ થશે : 25 મેના રોજ ફાઇનલ

Share:

New Delhi,તા.13

 ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પુષ્ટિ કરી કે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025, 21 માર્ચથી શરૂ થવાની છે.  શુક્લાએ આઇપીએલનું ઉદ્ઘાટન તેમજ ફાઈનલની તારીખની પુષ્ટિ કરી હતી, જે 25 મેના રોજ યોજાશે.

રવિવારે યોજાયેલી બીસીસીઆઈની સ્પેશિયલ મિટીંગમાં, મુખ્ય નિર્ણયો લેવામાં આવ્યાં હતાં જેમાં નવાં ખજાનચી અને સચિવની આગળની જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી ચર્ચાઓ કરવામાં આવી હતી સાથે સાથે વિમેન્સ પ્રીમિયર લીગના સ્થળ અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી.

આઈપીએલ 2024 ની શરૂઆત 22 માર્ચે કરવામાં આવી હતી અને આરબીસી અને સીએસકે સામસામે હતાં અને 26 મેના રોજ ફાઇનલ યોજાઈ હતી. અગાઉ રાજીવ શુક્લાએ ભૂલથી તારીખ 23 માર્ચ જાહેર કરી હતી.

જે બાદમાં તેમણે સુધારીને 21 માર્ચ કરી હતી.વધુમાં, આઈપીએલએ એક વર્ષની મુદત માટે નવાં કમિશનરની નિમણૂકની જાહેરાત કરી છે.  18-19 જાન્યુઆરીના રોજ યોજાનારી આગામી બેઠકમાં આગામી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમને અંતિમ સ્વરૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 

આઈપીએલ 2025 મેગા ઓક્શન
સાઉદી અરેબિયાના જેદ્દાહમાં બે દિવસ સુધી યોજાયેલી આઈપીએલ 2025ની મેગા હરાજી દરમિયાન કુલ 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયાં હતાં. 10 માંથી મોટાભાગની ટીમોએ તેમનાં મુખ્ય ખેલાડીઓને જાળવી રાખ્યાં પછી તેમની ટીમને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

હરાજીની આગેવાનીમાં, ટીમોએ બીસીસીઆઈ સાથે ઘણાં નિયમો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કેટલીક ટીમોએ મેગા હરાજી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.  ભારતનાં વિકેટકીપર-બેટર ઋષભ પંત આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બન્યાં જે 27 કરોડમાં વેચાયાં હતાં

ત્યારબાદ શ્રેયસ ઐયર 26.75 કરોડ, અને વેંકટેશ ઐયર  23.75 કરોડમાં વેચાયાં હતાં. આ દરમિયાન, ડેવિડ વોર્નર, પૃથ્વી શો અને શાર્દુલ ઠાકુર જેવાં ખેલાડીઓ વેચાયાં વગરનાં રહ્યાં હતાં. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *