બાંગ્લાદેશને હરાવવા Indian Cricket Team ચેન્નાઈ પહોંચી, વિરાટ કોહલી પણ લંડનથી ભારત આવ્યો

Share:

Chennai,તા.૧૩

ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ૧૯ સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ કરવા જઈ રહી છે, જેના માટે ભારતીય ટીમના ખેલાડીઓ ચેન્નાઈ પહોંચી ગયા છે. ભારતીય ક્રિકેટરોની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં તેઓ ચેન્નાઈથી પહોંચતા જોવા મળી રહ્યા છે. આ દિવસોમાં વિરાટ કોહલી પોતાના પરિવાર સાથે લંડનમાં રહે છે, જ્યાંથી તે સીધો ચેન્નાઈ આવી પહોંચ્યો છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ, આકાશ દીપ અને જસપ્રિત બુમરાહ એરપોર્ટ પર જોવા મળ્યા હતાં તમને જણાવી દઈએ કે ભારત ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ૧૯-૨૩ સપ્ટેમ્બર સુધી પ્રથમ ટેસ્ટ મેચ રમશે. આ પછી બીજી ટેસ્ટ મેચ ૨૭ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી રમાશે.

આ દરમિયાન ટીમનો અનુભવી અને સ્ટાર બેટ્‌સમેન વિરાટ કોહલી પણ ચાહકોને પ્રભાવિત કરવાનો છે. આ શ્રેણીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે ભારતીય ક્રિકેટ ટીમ માટે વિકેટકીપર બેટ્‌સમેન ઋષભ પંત પાંચ દિવસીય મેચમાં ટીમમાં વાપસી કરવા જઈ રહ્યો છે. પંત તેની ખતરનાક બેટિંગ અને રેડ બોલ ક્રિકેટમાં શ્રેષ્ઠ વિકેટકીપિંગ માટે જાણીતો છે.

ચાહકોને ટીમ ઈન્ડિયામાં ફરી એકવાર અશ્વિન અને રવિન્દ્ર જેડજાની સ્ટાર સ્પિનર જોડી જોવાનો મોકો મળવા જઈ રહ્યો છે. આ સાથે કુલદીપ યાદવ અને અક્ષર પટેલ પણ ટીમમાં છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર યશ દયાલનો ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેની પાસે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરવાની તક હશે. આ સાથે આકાશ દીપ પણ ટીમમાં રમતા જોવા મળી શકે છે. રોહિત શર્મા આ શ્રેણી જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૩-૨૦૨૫માં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવા માંગશે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *