Saurashtra સહિત રાજ્યના ૧૪ જિલ્લાઓમાં કલેકટરના હસ્તે થશે ઘ્વજવંદન

Share:

રાજ્યકક્ષાનો ઘ્વજવંદન કાર્યક્રમ નળીયાદ ખાતે યોજાશે

Rajkot, તા.૧

સામાન્ય રીતે ઘ્વજવંદનના કાર્યક્રમમાં રાજકોટમાં મંત્રીઓના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવતુ હોય છે. પરંતુ આ વખતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં અને રાજ્યના ૧૪ જિલ્લામાં મંત્રીઓના બદલે કલેકટરના હસ્તે ઘ્વજવંદનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર દિનની રાજ્ય કક્ષાની ઉજવણી ખેડા જિલ્લાના નડિયાદ ખાતે કરવામાં આવશે અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઘ્વજવંદન કરશે.ગુજરાત સરકારના મંત્રી મંડળમાં રાજકોટ જિલ્લાના બે મંત્રીઓ છે અને પ્રભારી મંત્રી તરીકે રાઘવજી પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. આગામી ૧૫ ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણીમાં રાઘવજી પટેલ જુનાગઢમાં કુંવરજીભાઈ બાવળીયા અમરેલીમાં અને ભાનુબેન બાબરીયા ગીર સોમનાથ જિલ્લામાં ઘ્વજવંદન કરાવશે. સુરતમાં કનુભાઈ દેસાઈ મહેસાણામાં ઋષિકેશ પટેલ કચ્છમાં બળવંતસિંહ રાજપુત બોટાદમાં મુળુભાઈ બેરા અને સાબરકાંઠામાં કુબેરભાઈ ડિંડોરના હસ્તે ઘ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રાજકોટ-જામનગર, સુરેન્દ્રનગર, મોરબી,પોરબંદર, છોટાઉદેપુર, આણંદ, અરવલ્લી, પાટણ, અમદાવાદ, મહીસાગર, ગાંધીનગર નર્મદા અને ભરૂચ જિલ્લામાં જે તે કલેકટરના હસ્તે ઘ્વજવંદન કરાવવામાં આવશે.બનાસકાંઠામાં વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી, પંચમહાલમાં ડેપ્યુટી સ્પીકર જેઠાભાઈ ભરવાડ ઘ્વજવંદન કરાવશે. ભાવનગરમાં પરસોતમભાઈ સોલંકી, દેવભૂમીમાં ભીખુસિંહ પરમાર, વડોદરામાં હર્ષ સંઘવી, વલસાડમાં જગદીશ વિશ્વકર્મા, દાહોદમાં બચુભાઈ ખાબડ, તાપીમાં મુકેશ પટેલ, ડાંગમાં પ્રફુલ પાનસેરીયા અને નવસારીમાં કુંવરજી હળપતિના હસ્તે ઘ્વજવંદનના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *