સરકાર મજબૂત ન હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન Punjab બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત

Share:

ખેડૂતોના આંદોલન દરમિયાન ઉપદ્રવી હિંસા ફેલાવી રહ્યા હતા અને તેમનું પ્લાનિંગ ઘણું લાંબુ હતું : કંગના રનૌત

Himachal Pradesh, તા.૨૫

બોલીવુડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી સાંસદ કંગના રનૌતે ફરી એકવાર ખેડૂતોના આંદોલન પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તાજેતરમાં એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું કે સરકાર મજબૂત ન હોત તો ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબ બાંગ્લાદેશમાં ફેરવાઈ ગયું હોત. બીજેપી સાંસદે આરોપ લગાવ્યો કે ખેડૂતોના આંદોલન દરમિયાન ઉપદ્રવી હિંસા ફેલાવી રહ્યા હતા અને તેમનું પ્લાનિંગ ઘણું લાંબુ હતું. બળાત્કાર અને હત્યાઓ પણ ત્યાં થઈ હતી.

તમને જણાવી દઈએ કે કંગનાની આગામી ફિલ્મ ઈમરજન્સી ચર્ચામાં છે. પંજાબમાં આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. પંજાબના અપક્ષ સાંસદ સરબજીત સિંહ ખાલસાએ ટ્રેલરમાં દેખાડવામાં આવેલા દ્રશ્યો સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે શીખોને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. તેણે તેની રિલીઝ પર પ્રતિબંધની માંગ કરી છે. શીખોની સર્વોચ્ચ સંસ્થા પણ તેના પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહી છે.

પ્રમુખ એડવોકેટ હરજિન્દર સિંહ ધામીએ આરોપ લગાવ્યો હતો કે શીખોના ચરિત્રને ખોટી રીતે રજૂ કરતી ફિલ્મ ’ઇમરજન્સી’ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવો જોઈએ. શીખોના ચરિત્રને જાણીજોઈને કલંકિત કરવાના ઈરાદાથી શીખ વિરોધી અને પંજાબ વિરોધી શબ્દાવલીને કારણે વિવાદમાં રહેલી અભિનેત્રી કંગના રનૌત દ્વારા આ ફિલ્મ બનાવવામાં આવી છે. જેને શીખ સમુદાય સહન કરી શકે તેમ નથી. આવી સ્થિતિમાં ખેડૂતોના આંદોલન પર કંગના રનૌતના લેટેસ્ટ નિવેદનને તેની ફિલ્મ સામે ચાલી રહેલા વિરોધ સાથે જોડવામાં આવી રહ્યું છે. ખેડૂતોના આંદોલન દરમિયાન હત્યા અને બળાત્કાર અંગે કંગના રનૌતના નિવેદન બાદ પંજાબમાં ફરી ખળભળાટ મચી ગયો છે.

ઈન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું કે પંજાબમાં ખેડૂતોના આંદોલનના નામે ઉપદ્રવી હિંસા ફેલાવી રહ્યા છે. ત્યાં  અને હત્યાઓ થતી હતી. સરકારે ખેડૂત બિલ પાછું ખેંચ્યું, નહીંતર આ ઉપદ્રવીઓની બહુ લાંબી યોજના હતી. તેઓ દેશમાં કંઈપણ કરી શકે છે. પંજાબ ભાજપે કંગના રનૌતના નિવેદનથી પોતાને અલગ કર્યુ છે. પંજાબ ભાજપના વરિષ્ઠ નેતા હરજીત ગ્રેવાલે કહ્યું કે આ કંગનાનું અંગત નિવેદન છે, તેને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.

કંગના રનૌતના નિવેદન પર કોંગ્રેસ ભડકી ગયું છે. પંજાબના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા રાજકુમાર વેર્કાએ માંગણી કરી છે કે કંગના પર દ્ગજીછ લાદવામાં આવે અને તેને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવે. તે દરરોજ પંજાબના નેતાઓ સામે ઝેર ઓકે છે અને હવે તેણે કહ્યું છે કે ખેડૂતોના આંદોલન દરમિયાન બળાત્કાર અને હત્યાઓ થઈ હતી. ભાજપે સ્પષ્ટતા કરવી જોઈએ કે તે કયા આધારે બોલી રહી છે. તે ભાજપમાંથી ચૂંટાઈ છે, જ્યારે કોઈ સામાન્ય કલાકાર નથી. વેર્કાએ પંજાબના સીએમ ભગવંત માનને કંગના વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *