Mumbai,તા.૨૫
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપી (શરદ પવાર જૂથ)ના નેતા અનિલ દેશમુખ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો ચાલી રહેલો દોર અટકવાને બદલે વધી રહ્યો છે. તેની શરૂઆત અનિલ દેશમુખના નિવેદનથી થઈ જ્યારે તેમણે દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ મૂક્યો અને કહ્યું, ’ફડણવીસે ભૂતકાળમાં તેમના (અનિલ દેશમુખ) ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, અજિત પવાર અને અનિલ પરબ પર આરોપો મૂકવા માટે કોઈને મોકલ્યા હતા.’ આ પછી દેવેન્દ્ર ફડણવીસે અનિલ દેશમુખને ચેતવણી આપી હતી અને હવે અનિલ દેશમુખે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
દેવેન્દ્ર ફડણવીસની ચેતવણી બાદ અનિલ દેશમુખ ગુસ્સે થઈ ગયા અને ગુરુવારે નાગપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે પોતાની પ્રતિક્રિયા આપી. તેણે કહ્યું, ’મારી પાસે પેન ડ્રાઈવ પણ છે અને તેમાં તમામ વીડિયો હાજર છે. તેમના (દેવેન્દ્ર ફડણવીસ) પર કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર, આદિત્ય ઠાકરે અને અનિલ પરવ પર ખોટા આક્ષેપો કરવા દબાણ કરવામાં આવ્યું હતું. મારી પાસે તે બધાના વીડિયો છે. જો કોઈ મને પડકારશે તો હું તેનો ખુલાસો કરીશ. બુધવારે એટલે કે ૨૪મી જુલાઈ ૨૦૨૪ના રોજ દેવેન્દ્ર ફડણવીસે અનિલ દેશમુખના આરોપો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હાઈકોર્ટે અનિલ દેશમુખ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. મારી પાસે ઓડિયો અને વીડિયોની ઘણી ક્લિપ્સ છે જેમાં અનિલ દેશમુખ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને બધું કહી રહ્યા છે. તેથી તમે શાંત રહો. જો તમે વારંવાર આવા જુઠ્ઠાણા બોલીને વાર્તા ગોઠવો છો, તો હું પુરાવા વિશે વાત કરીશ.