EPFO : 2025માં PFના નિયમોમાં થશે મોટા ફેરબદલ

Share:

New Delhi,તા.30

જો તમે કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતાં હોવ તો, નવા વર્ષમાં એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFO ​​તમારા હિતમાં તેના નિયમોમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યું છે, જે તમારે જાણવા જરુરી છે. હકીકતમાં કર્મચારીઓની હિતમાં  EPFO દ્વારા કેટલાક નિયયોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. આ ફેરફારોનો હેતુ પીએફ ખાતાધારકોને તેમના પેન્શન ફંડનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.

હવે રાહ નહીં જોવી પડે, ATMમાંથી પૈસા ઉપાડી શકશો

પીએફ નિયમોમાં કરવામાં આવેલા ફેરફારોમાં કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમની પેન્શનની રકમ માટે ઘણાં દિવસો સુધી રાહ નહીં જોવી પડે. EPFO દ્વારા તમામ ખાતાધારકોને ATM કાર્ડ આપશે. જેમ તમે એટીએમ કાર્ડની મદદથી બેંકમાંથી પૈસા ઉપાડો છો, તેવી જ રીતે તમે એટીએમ કાર્ડની મદદથી કોઈપણ એટીએમમાં ​​જઈને બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકશો. આ સુવિધા 2025થી ચાલુ થઈ જશે.

દર મહિને 15 હજાર રૂ.થી વધુ પીએફ ખાતામાં જમા કરી શકશો

હાલમાં કર્મચારીઓ તેમના મૂળ પગારના 12 ટકા પીએફ ખાતામાં ફાળો આપે છે. પરંતુ હાલમાં એક નિયમ પ્રમાણે પીએફ ખાતામાં દર મહિને 15 હજાર રૂપિયાથી વધુ રકમ પીએફ ખાતામાં ન થવી જોઈએ. પરંતુ નવા ફેરફાર હેઠળ આ મહત્તમ મર્યાદા દૂર કરવામાં આવી છે. સરકાર કર્મચારીઓના મૂળ પગારના બદલે વાસ્તવિક પગારના આધારે પીએફમાં યોગદાન નક્કી કરવા જઈ રહી છે. તેના અમલ પછી કર્મચારીઓ રિટાયરમેન્ટ સમયે મોટી રકમ જમા કરી શકશે. અને તેના બદલે તેમને વધુ પેન્શન પણ મળી શકશે.

EPFO તેના IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરશે

EPFO તેના આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ અપગ્રેડ કરવા જઈ રહ્યું છે. ત્યાર બાદ મોટાભાગના કામ માનવીય હસ્તક્ષેપ વિના ઑનલાઇન સંભવ બની શકશે. એટલ કે ખાતાધારકોનો ટાઈમ બચશે અને કામ ઝડપી બનશે.

ઈક્વિટીમાં રોકાણ કરી શકશે

ઇપીએફઓ ઇક્વિટીમાં રોકાણની કેટલીક નવી શક્યતાઓ પર પણ વિચારણા ચાલી રહી છે. તે પછી પીએફ ખાતાધારકો એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ સિવાય ઇક્વિટીમાં પણ રોકાણ કરી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *