દરેક ધર્મનું સન્માન જાળવવું જરૂરી…’ પયગમ્બર સાહેબના અપમાન મુદ્દે CM Yogi નું મોટું નિવેદન

Share:

Uttar-Pradesh,તા,07

પયગમ્બર સાહેબના અપમાન મુદ્દે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે મોટું નિવેદન આપ્યું છે. સીએમ યોગીએ કહ્યું કે, કોઈ પણ જાતિ, ધર્મ અથવા સંપ્રદાય સાથે સંબંધિત ઈષ્ટ દેવી-દેવતા, મહાપુરુષો કે, સાધુ-સંતો વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી અસ્વીકાર્ય છે. પરંતુ વિરોધના નામ પર અરાજકતા પણ સાંખી નહીં લેવાશે. તહેવારોને ધ્યાનમાં રાખીને સોમવારે મુખ્ય સચિવ, ડીજીપી, અધિક મુખ્ય સચિવ ગૃહ અને અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરતી વખતે મુખ્યમંત્રીએ કહ્યું કે દરેક ધર્મ અને સંપ્રદાયની આસ્થાનું સન્માન જાળવવું જરૂરી છે. મહાપુરુષો પ્રત્યે દરેક નાગરિકના મનમાં કૃતજ્ઞતાની ભાવના હોવી જોઈએ, પરંતુ તેને બળજબરીથી કોઈના પર થોપી પણ ન શકાય.

વિરોધના નામ પર અરાજકતાની કિંમત ચૂકવવી પડશે

મુખ્યમંત્રીએ કહ્યું કે જો કોઈ વ્યક્તિ આસ્થા સાથે ખિલવાડ કરશે, મહાપુરુષો, દેવી-દેવતાઓ, સંપ્રદાયો વગેરેની આસ્થા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરશે તો તેને કાયદાના દાયરામાં લાવીને સખત સજા ફટકારવામાં આવશે. પરંતુ તમામ ધર્મ અને સંપ્રદાયના લોકોએ એક-બીજાનું સમ્માન કરવું પડશે. વિરોધના નામે અરાજકતા, તોડફોડ કે આગચંપી અસ્વીકાર્ય છે, જે કોઈ આવું કરવાની હિંમત કરશે તેને તેની કિંમત ચૂકવવી પડશે.

તહેવારો માટે આપ્યા દિશા-નિર્દેશો

મુખ્યમંત્રીએ પોલીસ પ્રશાસનને નિર્દેશ આપ્યો છે કે, દરેક જિલ્લા અને દરેક પોલીસ સ્ટેશને શારદીય નવરાત્રિ, વિજયાદશમીનો તહેવાર આનંદ, ખુશી, શાંતિ અને સુમેળભર્યા માહોલ વચ્ચે ઉજવાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. માહોલ ખરાબ કરનારાઓને ઓળખો અને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરો. જેઓ કાયદા વિરુદ્ધ કામ કરે છે તેમની સાથે કડક વ્યવહાર કરો. મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, ભીડવાળા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને પીઆરવી 112 પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવે. મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત થવી જોઈએ, આ માટે તમામ વિભાગો સાથે મળીને કામ કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *