Himmatnagar,તા.૧૧
રાજ્યભરમાં મગફળીની સાથે મગ, અડદ અને સોયાબીનની આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થતા પહેલી ખરીદીની શરુઆત ગુજરાત સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી. હિંમતનગરથી ભુપેન્દ્ર પટેલે ખરીદીનો શુભારંભ કરાવ્યો છે. જે બાદ હવે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રોથી ટેકાના ભાવે આજે ખરીદી કરાશે.
આજથી રાજ્યભરમાં મગફળીની સાથે મગ, અડદ અને સોયાબીનની આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થતા પહેલી ખરીદીની શરુઆત ગુજરાત સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી હતી. હિંમતનગરથી ભુપેન્દ્ર પટેલે ખરીદીનો શુભારંભ કરાવ્યો છે. જે બાદ હવે ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રોથી ટેકાના ભાવે આજે ખરીદી કરાશે.
રાજ્યભરના ૧૬૦ થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળી, સોયાબીન, અડદ અને મગની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે. અહીં ઝ્રસ્એ જાતે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે સરકારે ૧,૩૫૬ રુપિયે પ્રતિ મણના ભાવે મગફળીની ખરીદીને વેચાણ માટે મુકી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ખેડૂતોને અભિનંદન આપ્યા હતા અને કહ્યું કે બજારમાં ૯૦૦થી ૧૦૦નો ભાવ છે પણ આપડે ૧૩૫૬ ટેકાનો ભાવ જાહેર કર્યો છે. આથી ભાવ સારો મળી રહેશે.
તમને જણાવી દઈએ કે વેચાણ માટે ૩,૩૩,૦૦૦થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જેમાં એક દિવસમાં એક ખેડૂત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ ૪,૦૦ કિ.ગ્રા એટલે કે, ૨૦૦ મણ મગફળીની ખરીદી કરાશે