Chirag Paswan મુઝફ્ફરપુર પોલીસની નેમ પ્લેટ અંગેના આદેશનો વિરોધ કર્યો

Share:

Patna,તા.૨૦

આ વર્ષે કંવર યાત્રા ૨૨મી જુલાઈથી શરૂ થઈ રહી છે અને ૧૯મી ઓગસ્ટે સમાપ્ત થશે. પરંતુ કંવર યાત્રા શરૂ થાય તે પહેલા યોગી સરકારે આદેશ જારી કર્યો છે કે કંવર માર્ગ પર આવતી તમામ દુકાનો, હોટલ અને ઢાબાના માલિકોએ પોતાની નેમ પ્લેટ બહાર લગાવવી પડશે. પહેલા આ આદેશ માત્ર મુઝફ્ફરનગર માટે હતો પરંતુ બાદમાં આખા રાજ્યના કંવર રૂટ માટે જારી કરવામાં આવ્યો હતો. હવે આ મામલે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પોતાનું નિવેદન આપ્યું છે.

કેન્દ્રીય મંત્રી અને ભાજપના સહયોગી એલજેપી (રામ વિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાને મુઝફ્ફરપુર પોલીસની નેમ પ્લેટ અંગેના આદેશનો વિરોધ કર્યો છે. આ આદેશનો વિરોધ કરતાં તેમણે કહ્યું કે તેઓ જાતિ કે ધર્મના નામે ભેદભાવને સમર્થન નહીં આપે. ચિરાગ પાસવાને કહ્યું, ’હું ૨૧મી સદીનો શિક્ષિત યુવક છું અને મારી લડાઈ જાતિવાદ અને સાંપ્રદાયિકતા સામે છે. આવી સ્થિતિમાં મારામાં એટલી હિંમત છે કે બિહારના મંચ પર ઊભા રહીને આવું કહી શકું. હું આમાં માનતો નથી, તેથી જ્યાં પણ જાતિ અથવા ધર્મના નામે આ પ્રકારનું વિભાજન થાય છે, હું તેનું સમર્થન કરતો નથી અને હું તેને પ્રોત્સાહન આપવા માંગતો નથી.

આ મામલે માત્ર ચિરાગ પાસવાન જ નહીં પરંતુ ભાજપના વરિષ્ઠ સહયોગી જદયુ નેતા કેસી ત્યાગીએ પણ આ આદેશનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું, ’આ પહેલા ક્યારેય આવો કોઈ કાયદો અસ્તિત્વમાં આવ્યો નથી. કંવર યાત્રા માત્ર યુપીમાં જ નહીં પરંતુ બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણામાં પણ નીકળે છે. આપણું બિહાર દેશમાં સદ્ભાવનાનું એવું ઉદાહરણ છે કે મુસ્લિમ લોકો ભાગલપુરથી ધામ સુધી દુકાનો બાંધે છે અને હિંદુ-મુસ્લિમ ભેગા મળીને કંવરિયાઓનું સ્વાગત કરે છે. આ વિભાજનકારી છે, તે વિભાજનની રીક કરે છે. ઉત્તર પ્રદેશ સરકાર સંવેદનશીલ છે અને હું ઈચ્છું છું કે તે તેના પર પુનર્વિચાર કરે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *