Bangladesh ને હરાવીને ભારતીય ટીમ પાકિસ્તાનની બરાબરી પર પહોંચી, કાનપુર ટેસ્ટમાં પાછળ છોડવાની સુવર્ણ તક

Share:

Mumbai,તા.૨૩

ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ શાનદાર રીતે જીતી હતી. ટીમ તરફથી રવિચંદ્રન અશ્વિન, શુભમન ગિલ અને રિષભ પંતે સદી ફટકારી હતી. અશ્વિને બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ યોગદાન આપ્યું હતું. તેણે બીજા દાવમાં ૬ વિકેટ લીધી અને તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. બાંગ્લાદેશના બેટ્‌સમેનો બીજા દાવમાં ભારતીય સ્પિનરો સામે ટકી શક્યા ન હતા.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ૧૪ મેચ રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયાએ ૧૨માં જીત મેળવી હતી અને બે ટેસ્ટ ડ્રો રહી હતી. બાંગ્લાદેશની ટીમ આજ સુધી ભારત સામે એકપણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. પ્રથમ ટેસ્ટ મેચમાં મળેલી જીત ભારતની બાંગ્લાદેશ સામે એકંદરે ૧૨મી જીત છે. આ સાથે ભારતે પાકિસ્તાનની બરાબરી કરી લીધી છે. પાકિસ્તાની ટીમે બાંગ્લાદેશ સામે ૧૨ ટેસ્ટ મેચ પણ જીતી છે.

બાંગ્લાદેશ સામે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતનાર ટીમોની યાદીઃ

શ્રીલંકા- ૨૦ મેચો

ન્યુઝીલેન્ડ- ૧૪ મેચ

વેસ્ટ ઈન્ડિઝ- ૧૪ મેચ

ભારત- ૧૨ મેચ

પાકિસ્તાન- ૧૨ મેચ

દક્ષિણ આફ્રિકા- ૧૨ મેચ

ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ૨૭ સપ્ટેમ્બરથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ રમવાની છે. જો ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ મેચ જીતશે તો તે બાંગ્લાદેશ સામે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાના મામલે પાકિસ્તાનને પાછળ છોડી દેશે. ભારતીય ટીમ જે પ્રકારના ફોર્મમાં છે. તેના માટે બીજી ટેસ્ટ જીતવી મુશ્કેલ જણાતી નથી.પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને જીતવા માટે ૫૧૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ માત્ર ૨૩૪ રન જ બનાવી શકી હતી અને ૨૮૦ રનથી મેચ હારી ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં ૩૭૬ રન બનાવ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશનો પ્રથમ દાવ ૧૪૯ રનમાં સમેટાઈ ગયો હતો. કેપ્ટન રોહિત શર્માએ બીજી ઇનિંગ ૪ વિકેટે ૨૮૭ રન પર ડિકલેર કરી હતી.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *