Britain તેના નાગરિકોને બાંગ્લાદેશની યાત્રા ન કરવાની સલાહ આપી

Share:

Britain,તા.૫

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ સતત હિંસાને કારણે સ્થિતિ ખરાબથી ખરાબ થઈ ગઈ છે. માત્ર હિંદુઓ માટે જ નહીં પરંતુ અન્ય દેશોના નાગરિકો માટે પણ અહીં રહેવું હવે સુરક્ષિત નથી. બ્રિટને પણ સ્વીકાર્યું છે કે બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી છે. તેથી, બ્રિટિશ સરકારે બાંગ્લાદેશમાં તેના નાગરિકોને લગતી ચાલુ એડવાઈઝરીને અપડેટ કરી છે અને બ્રિટિશ નાગરિકોને ત્યાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે.

ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસે સાંજે બાંગ્લાદેશ માટે જારી કરાયેલ એડવાઈઝરીના સુરક્ષા વિભાગની સમીક્ષા કરી હતી. અપડેટ કરેલ એડવાઈઝરી “આવશ્યક મુસાફરી” સિવાય કોઈપણ મુસાફરી સામે ચેતવણી આપે છે. “આતંકવાદીઓ બાંગ્લાદેશમાં હુમલાનો પ્રયાસ કરી શકે છે,” હ્લઝ્રર્ડ્ઢં મુસાફરી સલાહકારે જણાવ્યું હતું. એડવાઈઝરી મુજબ, “ઘણા સ્થળોએ આતંકવાદી હુમલાની સંભાવના છે, જેમાં વિદેશી નાગરિકો જ્યાં મુલાકાત લે છે તે સ્થાનો પણ સામેલ હોઈ શકે છે, જેમ કે ભીડવાળા વિસ્તારો, ધાર્મિક સ્થળો, (અને) રાજકીય રેલીઓ વગેરે. “કેટલાક જૂથોએ એવા લોકોને લક્ષ્યાંક બનાવ્યા છે જેઓ માને છે કે તેમના વિચારો અને જીવનશૈલી ઇસ્લામની વિરુદ્ધ છે.”

“હુમલાઓએ ધાર્મિક લઘુમતી સમુદાયો અને પોલીસ અને સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે,” યુકેની સલાહકારે જણાવ્યું હતું. જેમાં મોટા શહેરોમાં આઇઇડી હુમલાનો સમાવેશ થાય છે. “બાંગ્લાદેશી સત્તાવાળાઓ આયોજિત હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છે.” દેશદ્રોહના કેસમાં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા ચેતના (ઇસ્કોન)ના પૂર્વ અધિકારી ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં તણાવનું વાતાવરણ છે. આ પહેલા બ્રિટનના ઈન્ડો-પેસિફિક અફેર્સ મિનિસ્ટર કેથરિન વેસ્ટે ’હાઉસ ઓફ કોમન્સ’માં કહ્યું હતું કે, “દેશદ્રોહના આરોપમાં જાણીતા હિન્દુ નેતા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ અમે ભારત સરકારની ચિંતાથી વાકેફ છીએ.” છે. બ્રિટનની ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ આ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *