Bharuch માં દોઢ લાખ ભકતોની પાવન ઉપસ્થિતિમાં હરિપ્રબોધમ્ યુવા મહોત્સવની ઉમંગભેર ઉજવણી

Share:

Bharuch, તા. 7
ગુરૂહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખતા વિદ્યાનગર સ્થિત આત્મીય વિદ્યાધામ  મંદિરના પ્રગટ ગુરૂહરિ પ્રબોધ જીવન સ્વામીજીના આશિષ અને સંતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી તડામાર તૈયારીઓ ફળસ્વરૂપે આયોજિત હરિપ્રબોધમ્ યુવા મહોત્સવમાં વિશાળ યુવા સમુદાય અને આંમત્રિત મહેમાનોએ લાભ લીધો હતો.

હરિપ્રસાદસ્વામીજીના 91માં પ્રાગટય દિન તથા પ્રબોધસ્વામીજીના 7રમાં પ્રાગટય દિન નિમિતે ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં 350 વિઘા જગ્યામાં યોજાયેલ મહોત્સવમાં અમેરિકા, યુકે, કેનેડા, જર્મની, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત 12 દેશો તથા ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, કર્ણાટકમાંથી  અંદાજે દોઢ લાખથી વધુ હરિભકતોનો માનવ મહેરામણ 2200 બસ, 4000 જેટલી કાર તથા 6000 જેટલી બાઇકમાં ખુબ જ શિસ્ત અને ભકિતથી આ મહોત્સવમાં ઉમટયો હતો. 

મહોત્સવમાં પધારેલ તમામ દોઢ લાખ ભકતોની સમગ્ર રસોઇ સંતો અને ભકતો તથા સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક દ્રષ્ટિકોણને ઉજાગર કરતી થીમ પર કોલકાતાના 30 જેટલા કારીગરો દ્વારા ભવ્ય સ્ટેજ નિર્માણ કરવામાં આવ્યું હતું. મહોત્સવની શરૂઆતમાં ખ્યાતનામ તાલ વાદક ગીરીશ વિશ્ર્વા તથા દિવ્ય કુમાર અને ગૌરવ બાંગીયા અને ટીમ દ્વારા અદભુત સ્પિરિચ્યુઅલ મ્યુઝીકલ ક્ધસર્ટ રજુ કરવામાં આવ્યો હતો જે દરમિયાન નયનરમ્ય, ભકિતમય રથમાં પ્રબોધ સ્વામીની સભા મંડપમાં પધરામણી થઇ હતી.

સુરતના યુવાનોએ ભકિત નૃત્ય અને સોની સ્કુલ ઓફ ગરબાની ટીમે ગુણાતીત લાયન્સના જોશભેર નૃત્ય રજુ કર્યુ હતું. એ સિવાય કિંગ ડાન્સ  ગ્રુપ દ્વારા અદભુત દેશભકિત નૃત્ય દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકો તથા ભકતો મંત્રમુગ્ધ કર્યા હતા.

ત્યારબાદ બાળ અને યુવા વકતાઓએ ‘જેની પાસે સારા દોસ્ત હોય તે કયારેય જમીન દોસ્ત ન થાય’ એ થીમ પર પોતાના જીવન પ્રસંગોની વાતથી જીવનમાં સંત અને સત્સંગની અનિવાર્યતાનું વર્ણન કર્યુ હતું.

સંતવર્ય શ્રી સર્વમંગલ સ્વામી પ્રબોધ સ્વામીજીની સાધુતાના પ્રસંગોનું દર્શન કરાવતા જણાવ્યું હતું કે, પ્રબોધ સ્વામીની આધ્યાત્મિક ગરીબાઇની આ અસર છે કે દોઢ લાખ યુવકો શિસ્તથી બેસી રહ્યા છે. પ્રબોધ સ્વામીના જીવન પ્રસંગોનો ગ્રંથ ‘સમર્થની સાધુતા’નું અનાવરણ કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં ઉપસ્થિત સંતગણમાં ગુમાનદેવ હનુમાનજી મંદિરના પૂ. મનમોહનદાસજી ઉપસ્થિત રહ્યા હતા.

વિધ વિધ ક્ષેત્રના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવના આયોજન બિરદાવ્યું હતું. જેમાં ધારાસભ્ય ઇશ્ર્વરભાઇ પટેલ, રમેશભાઇ મિસ્ત્રી, દુષ્યંતભાઇ પટેલ, પ્રમુખ મારૂતિસિંહ, નારણભાઇ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવભાઇ, વિજયભાઇ અગ્રવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બહેનોના વિભાગમાં જાણીતા શિક્ષણવિદ અને જામનગરના રાણીબા એકતાબેન સોઢા તથા અન્ય મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *