Australian ખેલાડીઓ હાર બાદ હતાશ

Share:

Mumbai,તા.05

ચેમ્પીયન્સ ટ્રોફીના સેમી ફાઈનલમાં ભારત ઓસ્ટ્રેલીયાને પરાસ્ત કરીને 16 મહિના પૂર્વે વર્લ્ડકપ ફાઈનલની હાર તથા 14 વર્ષથી આઈસીસી ટુર્નામેન્ટના નોકઆઉટ મેચોમાં સતત હારનો બદલો લીધો હતો.ભારત સામેનાં પરાજયથી ઓસ્ટ્રેલીયાનાં ખેલાડીઓ હતાશ થઈ ગયા હતા.

તમામનાં ચહેરા પર નિરાશા સ્પષ્ટ તરી આવતી હતી. દુબઈનાં સ્ટેડીયમમાં ‘ઈન્ડીયા-ઈન્ડીયા’ની ગુંજ તો હતી જ સાથોસાથ 150 કરોડ ભારતીયો પણ આ જીતથી ખુશ હતા. 19 નવેમ્બરે વર્લ્ડકપ ફાઈનલમાં હારથી ભારતીયોની જેવી હાલત હતી તેની હાલત ઓસીઝ ખેલાડીઓની થઈ હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *