‘મારા દીકરાએ દુષ્કર્મ કર્યું હોય તો ફાંસી આપો,Badlapur કાંડના આરોપીની માતાનું નિવેદન

Share:

Maharashtra,તા.23

બદલાપુર યૌન શૌષણ કેસે સમગ્ર મહારાષ્ટ્રને આક્રોશિત કરી દીધું હતું. આ મામલે આરોપીની માતાએ ગુરુવારે કહ્યું, ‘જો મારા પુત્રએ કંઈ ખોટું કર્યું છે તો કોર્ટે તેને મોતની સજા આપવી જોઈએ.’ એ શક્ય નથી કે મારા પુત્રએ બાળકો સાથે મારામારી કરી હોય. આરોપીએ છેલ્લા બે વર્ષમાં ત્રણ વખત લગ્ન કર્યાં છે અને તેની ત્રીજી પત્નીને હવે પાંચ મહિનાનો ગર્ભ છે.

આરોપીની માતા સ્કુલના બીજા સેક્શનમાં સફાઈ કર્મચારીનું કામ કરે છે. તાજેતરમાં જ તેમનો નાનો પુત્ર જે સ્કુલમાં કામ કરતો હતો તે બીજા સેક્શનમાં પટાવાળો બની ગયો. તે બાદ તેમણે શંકાસ્પદને સ્કુલમાં સફાઈ કર્મચારીનું કામ અપાવી દીધું. આરોપી બદલાપુરના ખરવઈ ગામમાં પોતાની માતા, પિતા, નાના ભાઈ અને પત્ની સાથે રહે છે. ભીડ દ્વારા પોતાના ઘરમાં તોડફોડ કર્યા બાદ પરિવારને ડર લાગી રહ્યો છે. પોલીસે ત્યાં સુરક્ષા વધારી દીધી છે. સ્કુલમાં સફાઈ કર્મચારીનું કાર્ય કર્યા પહેલા આરોપી પોતાની માતાની સાથે હાઉસિંગ સોસાયટીમાં સફાઈ કર્મચારીનું કામ કરતો હતો. સૂત્રોએ જણાવ્યું કે આરોપીની પહેલી બે પત્નીઓ લગ્નના તાત્કાલિક બાદ તેને છોડીને જતી રહી. મામલા માટે રચવામાં આવેલી એસઆઈટીએ આઠ ટીમોની રચના કરી છે. એસઆઈટીએ ગુરુવારે સ્કુલની મુલાકાત લીધી અને સ્કુલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવેલી બે મહિલા નર્સનું નિવેદન નોંધ્યું. એસઆઈટીએ અન્ય તકનીકી વિગતો પણ એકત્ર કરી અને ડિજિટલ વીડિયો રેકોર્ડરને જપ્ત કરી લીધું. જે વિશે સ્કુલે કહ્યું કે ઘટના બહાર આવ્યાના 15 દિવસ પહેલા આ કામ કરી રહ્યો નહોતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *