મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખલન થતાં Rudraprayag માં મોટી દુર્ઘટના, 4 લોકોના દટાઈ જતાં મૃત્યુ

Share:

Uttarakhand,તા.23

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગત મોડી રાતે ભારે વરસાદને પગલે 4 લોકો કાટમાળમાં દટાઈ ગયાની ચકચાર મચાવતી ઘટના બની હતી. મૂશળધાર વરસાદને પગલે પર્વતો પરથી ભારે ભૂસ્ખલન થતાં આ ઘટના બની હતી. ચાર લોકો તેની લપેટમાં આવી ગયા હતા.

રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે 

રેસ્ક્યૂ ટીમના અધિકારીઓના અહેવાલ અનુસાર મોડી રાતે લગભગ 1:30 વાગ્યાના સુમારે હેલીપેડ સામે જ ખાટ ગડેરે નજીક કાટમાળ ધસ્યો હોવાની જાણકારી મળી હતી. જેમાં ચાર લોકો દટાઈ ગયા હતા. અમારી ટીમ હાલમાં રેસ્ક્યૂ અભિયાન ચલાવીને તેમને શોધવાનો પ્રયાસ કરી રહી છે. અમુક મીડિયા અહેવાલોમાં આ ચારેય લોકો મૃત્યુ પામી ગયાનો દાવો પણ કરાયો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *