IPL બાદ ગૌતમ ગંભીર સામે મોટા પડકારો હશે

Share:

New Delhi,તા.13
જે લોકો ગૌતમ ગંભીરને ઓળખે છે તેઓ તેને ’કંટાળાજનક વ્યક્તિ કહે છે, જે સતત એક જ કામ કરે છે’. જેણે છેલ્લાં 20 વર્ષમાં ખાવાની રીત બદલી નથી, તેનાં માટે પ્રયોગનો કોઈ સવાલ જ નથી. ગંભીરને કેઝ્યુઅલ સમારોહમાં ડેનિમ પહેરવાનું પસંદ છે અને વર્ષોથી તેણે તેને બદલ્યું નથી. પણ જ્યારે ક્રિકેટની વાત આવે છે.

ત્યારે તેનું મન હંમેશાં વિવિધ વ્યૂહાત્મક સમસ્યાઓનાં ઉકેલની શોધમાં હોય છે. જુલાઈમાં ટી -20 વર્લ્ડ કપ જીતવાની સાથે રાહુલ દ્રવિડનો કાર્યકાળ સમાપ્ત થયાં પછી ગંભીરે રાષ્ટ્રીય ટીમની જવાબદારી સંભાળ્યાને આઠ મહિના થયાં છે.

ગંભીર હવે એવાં તબક્કામાં આગળ વધશે જ્યાં તેને ત્રણ જુદા-જુદા પડકારોનો સામનો કરવો પડશે, જેની શરુઆત ઈંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસથી થશે. આઈપીએલ પછી હંમેશની જેમ થશે જેમાં તૈયારી માટે બિલકુલ સમય નહીં હોય. ગંભીરનો બીજો મોટો પડકાર ભારત અને શ્રીલંકામાં 2026 નો ટી -20 વર્લ્ડ કપ હશે જ્યાં સૂર્યકુમાર યાદવની ટીમ તેમનાં ટાઇટલની રક્ષા કરશે. અને સૌથી છેલ્લે પણ સૌથી મોટો પડકાર 2027માં દક્ષિણ આફ્રિકામાં રમાનારો વન-ડે વર્લ્ડ કપ હશે.

જો ગંભીરનું કોચિંગ અલગ-અલગ ફોર્મેટમાં જોઈએ તો પછી તેને સૂર્યાની આગેવાની હેઠળની ટી-20 ટીમ માટે ખેલાડીઓનું કોર ગ્રુપ તૈયાર કરી દીધું છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને ટૂંકા ફોર્મેટમાંથી રીટાયર્ડ થયાં બાદ પણ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ગંભીરે અભિષેક શર્મામાં એક પ્રભાવશાળી ખેલાડીની શોધ કરી છે. વરુણ ચક્રવર્તી અને જસપ્રિત બુમરાહ જ્યારે વૈશ્વિક સ્પર્ધા (વર્લ્ડ ટી-20)માં બોલિંગ કરશે ત્યારે આ 8 ઓવર બેટ્સમેનો માટે દુ:સ્વપ્ન સમાન બની રહેશે.

સંજુ સેમસને તેની લય મેળવી લીધી છે, જોકે રિષભ પંત અને યશસ્વી જયસ્વાલ પણ હાજર રહેશે. અર્શદીપ સિંહ પાવરપ્લેમાં શાનદાર વિકેટ લેનાર બોલર છે અને તેની પાસે હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી અને શિવમ દુબેના રૂપમાં ઓછામાં ઓછા ત્રણ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે.

હાર્દિકની સાથે સૂર્યકુમાર અને અક્ષર આ ટીમનાં જૂના ખેલાડીઓ છે. આ એક એવી ટીમ છે જેણે તેનાં તમામ વિભાગો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને અહીં અને ત્યાં થોડા ફેરફારો સાથે આપમેળે આગળ વધી રહી છે. પરંતુ આ અન્ય બે ફોર્મેટ છે જ્યાં ગંભીરે પરિણામો માટે વ્યુહરચનાકાર, શિસ્તબદ્ધ અને મેનેજર તરીકે એક સાથે કામ કરવું પડશે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ વન-ડે ફોર્મેટમાંથી જલદી સંન્યાસ લઈ રહ્યાં નથી. નિવૃત્તિ એ વ્યક્તિગત નિર્ણય છે અને બંનેએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારો દેખાવ કર્યો છે. પણ 2027ના વર્લ્ડ કપ દરમિયાન ગંભીર પાસે ચાર સ્પેશિયાલીસ્ટ સ્પિનરોનો ઉપયોગ કરીને 240-250ના સ્કોર સાથે જાદુ સર્જવાનો વિકલ્પ નહીં હોય.

મોટો સ્કોર કરવામાં આવશે અને સવાલ એ છે કે શું કોહલીની સાથે રોહિત તેની ટૂંકી અને આક્રમક ઇનિંગ્સથી પૂરતું યોગદાન આપી શકશે કે કેમ. કોહલી હવે એક છેડો સંભાળી રહેલાં બેટ્સમેનની ભૂમિકામાં રહેશે.

રોહિતે કહ્યું કે તે નિવૃત્તિ લેશે નહીં પરંતુ 2027 ના વર્લ્ડ કપમાં તેની ભાગીદારી અંગે પણ અસ્પષ્ટ છે. અહીં ગંભીરે આગળ આવવું પડશે. તે સુપરસ્ટાર કલ્ચરથી નફરત કરે છે. જે લોકો વરિષ્ઠતાથી આગળ વધે છે તે પ્રદર્શન કરનારાઓ માટે તેમને ઘણું માન છે. જો તે બોર્ડ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિ બંને પાસેથી થોડી સ્પષ્ટતા માંગે છે કે તેઓ વન-ડે વર્લ્ડ કપની યોજનાઓમાં રોહિતને કેવી રીતે જુએ છે કારણ કે ટીમને વર્લ્ડ કપ પહેલાં રમવા માટે માત્ર 27 વનડે મેચ જ બાકી છે.

બીજો મુદ્દો કે જેનાં પર વિચાર કરવામાં આવશે તે એ છે કે હવે પછીનો કેપ્ટન કોણ હશે ? શુભમન ગિલ વન-ડેનો શાનદાર ખેલાડી છે અને તેણે રોહિતની આગેવાનીમાં વાઇસ કેપ્ટનની ભૂમિકા ભજવી છે, પરંતુ હાર્દિક પંડ્યા પણ એક સારો લીડર છે. તેણે મુખ્ય કોચ આશિષ નેહરાની આગેવાની હેઠળ ગુજરાત ટાઇટન્સમાં સારું પ્રદર્શન કર્યું હતું.

આગામી સમયમાં ગંભીરે ટેસ્ટ ક્રિકેટ ટીમ પર પણ ધ્યાન આપવું પડશે જ્યાં તેને સૌથી વધુ પડકારોનો સામનો કરવો પડશે. જો રોહિત રમે અને જયસ્વાલ અને કેએલ રાહુલ ટોપ થ્રીમાં સ્થાન મેળવે તો ટેસ્ટ ક્રિકેટર તરીકે શુભમન ગિલનું શું થશે ?

શું તે ઇંગ્લેન્ડ સામેની શ્રેણી માટે બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ ત્રણેયને શ્રેષ્ઠ ફોર્મમાં લાવી શકશે જ્યાં સ્વિંગ અને સીમ બોલરોને મદદ મળશે. છેલ્લાં કેટલાક સમયથી ભારતની નબળાઈ રહી ચૂકેલાં મિડલ ઓર્ડરમાં એક જ પોઝિશનનું શું થશે ?

કરુણ નાયર ત્યાં ફિટ થશે કે પછી શ્રેયસ અય્યરને ફરી ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન પાછું મળશે? ગુરુ ગંભીર પાસે કેટલીક અઘરી પસંદગીઓ કરવાની હોય છે, પરંતુ તે સાહસિક નિર્ણયો લેવામાં ક્યારેય ડરતો નથી.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *