London તા.21
કસમયે થતા death અને diseases પાછળ Heredity કરતાં Lifestyle વધુ જવાબદાર બની રહી છે. નેચર મેડિસીનમાં પ્રકાશિત ઓકસફર્ડ યુનિવર્સીટીના એક અધ્યયનમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે Smoking, ગતિવિધી, રહેણી-કરણીની બદલાતી રીતોની Health પર ગંભીર અસરો પડી રહી છે.
સંશોધકોનું સૂચન છે કે જે લોકોમાં ઓછો સમય જીવવાનું વારસાગત જોખમ વધુ છે. તેઓ Healthy અને સંતુલિત Lifestyle અપનાવીને પોતાની વયમાં વધારો કરી રહી છે.
ખરાબ Lifestyleથી કસમયે deathનો ખતરો 78 ટકા છે. Smokingથી 21 બિમારીઓ, જયારે આવક, રોજગાર, અને શારીરીક ગતિવિધીથી 17 બિમારીઓ થાય છે. 10 વર્ષની વયમાં સ્થુળતા અને જન્મ દરમ્યાન કે પહેલા માતા Smoking કરવાથી કસમયે મોતનું જોખમ વધુ હોય છે. ખરાબ Environment એટલે કે pollutionથી હૃદય, ફેફસા, અને લીવરની સમસ્યાથી મોતનો વધુ ખતરો રહે છે. જીન એટલે કે આનુવાંશિકીથી ડિમેન્શીયા અને બ્રેસ્ટ કેન્સરનું જોખમ સૌથી વધુ રહે છે.
Indiaમાં કસમયે deahtનું મુખ્ય કારણ Heart Attack, Cancer, જુની શ્વાસની બિમારી અને ડાયાબીટીસ છે. આઈસીઆરએમ સહિત અનેક રિપોર્ટ અનુસાર તેમાંથી મોટાભાગની બિમારીઓ ખરાબ જીવનશૈલી અને આહારમાં ગરબડના કારણે થઈ રહી છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવુ છે કે, તેમાં સુધારો કરીને મૃત્યુદરને ઘટાડી શકાય છે. સ્વસ્થ જીવન શૈલી માટે સમયસર પૌષ્ટિક આહારની સાથે સાથે આવી દિનચર્યા અપનાવવી જોઈએ. શરાબ-ધુમ્રપાનથી દુર રહેવુ જોઈએ.