હવે આચારસંહિતાના પ્રથમ, દ્વિતિય કે તૃતીય સ્તરના ભંગ બદલ આઈસીસી દ્વારા નિર્ધારિત કરાયેલી પેનલ્ટી લાગુ થશે
Mumbai, તા.૧૫
આગામી આઈપીએલ સિઝનથી આઈસીસી કોડ ઓફ કંડક્ટ ધોરણોનું પાલન કરવામાં આવશે તેવો નિર્ણય આઈપીએલની ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં લેવાયો હતો. આઈપીએલ ૨૦૨૫નો પ્રારંભ ૨૧ માર્ચથી થશે. આ ઉપરાંત વિમેન્સ પ્રીમિયર લીગનો વ્યાપ હવે ચાર શહેરો સુધી લંબાવવાનો નિર્ણય કરાયો છે. બીસીસીઆઈના વાઈસ પ્રેસિડેન્ટ અને આઈપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ પત્રકોરને માહિતી આપતા જણાવ્યું કે, આઈપીએલ લીગનો પ્રારંભ ૨૩ માર્ચથી થશે પરંતુ ગવર્નિંગ કાઉન્સિલના વરિષ્ઠ અધિકારીએ બાદમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આઈપીએલ ૨૦૨૫નો પ્રારંભ ૨૧ અથવા ૨૨ માર્ચથી થશે. આઈપીએલમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ માટે આગામી સિઝનથી આઈસીસી કોડ ઓફ કંડક્ટરેગ્યુલેશનનો અમલ કરાશે.હવે આચારસંહિતાના પ્રથમ, દ્વિતિય કે તૃતીય સ્તરના ભંગ બદલ આઈસીસી દ્વારા નિર્ધારિત કરાયેલી પેનલ્ટી લાગુ થશે. અત્યાર સુધી આઈપીએલના પોતાના કોડ ઓફ કંડક્ટ નિયમો અલમમાં હતા પરંતુ હવે આઈસીસીના ટી૨૦ની પ્લેઈંગ કંડિશનના ધોરણોનો અમલ કરાશે. ગવર્નિંગકાઉન્સિલના વરિષ્ઠ સભ્યે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરથી ડબલ્યુપીએલની ત્રીજી સિઝનો પ્રારંભ થશે અને બેંગલોર, મુંબઈ ઉપરાંત વડોદરા તથા લખનૌમાં પણ ટુર્નામેન્ટ યોજાશે.