આજે શ્રીનાથદ્વારાના પૂ. વિશાલ બાવાશ્રી ‘ધ્વજાજી’ લઈ Rajkot પધારશે

Share:

Rajkot, તા.6
વૈષ્ણવ સંપ્રદાયમાં ‘ધ્વજાજી’ ના પૂજન અને ધ્વજા આરોહણનું અન્નય મહત્વ છે. વૈષ્ણવોના હ્રદયમાં બિરાજતા હાકોરજીના રાજસ્થાનમાં સ્થિત પવિત્ર ધામ શ્રી નાથદ્વારા થી સ્વયં ઠાકોરજી સ્વરૂપે આવતા ’ધ્વજાજી’ ના સ્વાગત, દર્શન અને સામૈયા કરવા રાજકોટની જનતામાં ભારે હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. શહેરના જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર દાતા મૌલેશભાઈ ઉકાણી પરિવાર આયોજીત ત્રિ-દિવસીય મનોરથ મહોત્સવ નિમિતે શ્રી નાથદ્રારની ‘દધ્વજાજી’ નું ભવ્યાતિભવ્ય સ્વાગત સાથે વિશાળ શોભાયાત્રા યોજાશે.

રાજકોટની ભાગોળે ઈશ્વરીયાના દ્વારકાધીશ ફાર્મ ખાતે ખાસ ઉભા કરવામાં આવેલ વૃંદાવન ધામમાં દાનવીર મૌલેશભાઈ ઉકાણીની આત્મજા ચિ. રાધાના લગ્નોત્સવના ભાગરૂપે ત્રિ-દિવસીય મનોસ્થ ઉત્સવ પૂર્વ રાજકોટના આંગણે આજે ’ધ્વજાજી’ સાથેની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે. શ્રીનાથદ્રારાના પૂ. વિશાલ બાવાશ્રી શ્રીનાથદ્રારાની ’ધ્વજાજી’ લઈ રાજકોટ ખાતે પધારશે.

એરપોર્ટ થી ‘ધ્વજાજી’ ને સૌપ્રથમ કાલાવડ રોડ સ્થિત બાનલેબની ઓફીસે પધરામણી કરવામાં આવશે. ત્યારબાદ ડુંગર દરબાર અમીન માર્ગના છેડે થી સ્પીડવેલ પાર્ટી પ્લોટ રાધીકા ફાર્મ સુધી ‘ધ્વજાજી’ ની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા યોજાશે. આજરોજ રાજકોટના આંગણે યોજાનાર આ ભવ્ય શોભાયાત્રામાં દરેક સમાજના બહોળી સંખ્યામાં વૈષ્ણવ ભકતો જોડાશે. શોભયાત્રાના રૂટમાં વિવિધ સ્થળોએ 30 જેટલી લાઇવ મનોરમ્ય રંગોળી બનાવવામાં આવી છે રંગબેરંગી ધ્વજા પતાકા સાથે સંપૂર્ણ માર્ગને સુશોભીત કરાયો છે.

બે ધોડાસવારી, 50 સોફાધારી યુવાનો ની બુલેટ સાથે, નાસિક બેન્ડના 45 જેટલા આર્ટીસ્ટોની બેન્ડ વાજાની જમાવટ, શોભાયાત્રાની આગળ અને પાછળ બે ડી.જે. વાન રહેશે. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરક્ષા હેતુ પાઇલોટીંગ પોલીસ વાન ધર્મયાત્રા ની આગળ રહેશે. શોભાયાત્રાના રૂટ પર વિવિધ સ્થળ પર ’ધ્વજાજી’ ના સામૈયા અને દર્શન થઈ  શકે તે માટે 8 જેટલા આકર્ષક સુશોભીત સ્ટેજ બનાવાયા છે. જયાં શૌભાયાત્રા પહોંચતાની સાથે જ ‘ધ્વજાજી’ પર ઉપસ્થિત ભાવીકો પુષ્પવર્ષા કરશે.

શોભાયાત્રાના સમગ્ર રૂટને હોર્ડીંગ્સ – બેનરથી સુશોભીત કરાયા છે. ગઈઈ ની 150 વિદ્યાર્થીઓની એક ટીમ શોભાયાત્રામાં પરેડ સાથે જોવા મળશે. યજમાન ઉકાણી પરિવારના મૌલેશભાઈ ઉકાણી, નટુભાઈ ઉકાણી, જય ઉકાણી, લવ ઉકાણી તથા આમંત્રીત મહેમાનો આ ધર્મયાત્રામાં જોડાશે. શાવર મશીન વાન દ્વારા ઠેરઠેર માર્ગ પર ગુલાબની પાંદડીઓની પુષ્પવર્ષા થશે.

આ ધર્મયાત્રામાં 5 જેટલી વિન્ટેજ કાર, જેને 30 જેટલા પરંપરાગત સુશોભીત છત્રીઓ સાથેના સિપાઇઓ કવર કરશે. વિન્ટેજકાર ના કાફલામાં સેન્ટ્રલ કારને સંપૂર્ણ રીયલ ફલાવર્સથી સુશોભીત કરાશે જેમાં ‘ધ્વજાજી’બિરાજમાન થશે. ખેરડી ગૌશાળાના પરંપરાગત વેશભૂષામાં સજજ 84 જેટલા યુવાનો રાસ ગરબા સાથેની પ્રસ્તુતી, બે ઘોડા સાથેની 5 બગીઓ, સાફા સાથે 100 જેટલા બાઈક સવારો, ગ્રામ્ય સંસ્કૃતીને ઉજાગર કરતા સુશોભીત બળદગાડાઓ, ધર્મયાત્રાની શોભા વધારશે.

શોભાયાત્રા દરમ્યાન ભાવીકોને પ્રસાદ વિતરણ માટે પ્રસાદ રથ સાથે રહેશે. ધર્મયાત્રા દરમ્યાન બહોળી સંખ્યામાં ઉપસ્થિત માનવ મેદનીમાં આકસ્મીક બનાવોને પહોંચી વળવા એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર્સ, પોલીસવાન ની સધન વ્યવસ્થા ગોઠવાશે. શોભાયાત્રાના માર્ગ પર કચરાને તુરંત હટાવવા ગાર્બેજ વાન શોભાયાત્રા પાછળ રહેશે.

રાજકોટના આંગણે ત્રિદિવસીય મનોરથ ઉત્સવના આધ્યાત્મીક પ્રસંગને ઉજાળવા, ‘ધ્વજાજી’ રૂપે સ્વયં ઠાકોરજીના રંગે રંગાવા, તથા વૃંદાવનધામમાં દર્શન ભકિતમાં લીન થઈ આ પવિત્ર ઉત્સવનો લાભ લેવા રાજકોટવાસીઓને મૌલેશભાઇ ઉકાણી-બાનલેબ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

રાજકોટના આંગણે યોજાનાર ભવ્ય ધર્મયાત્રાનો રૂટ
તા. 6 ને રવિવારે યોજાનાર ધર્મયાત્રામાં ’ધ્વજાજી’ ને એરપોર્ટ થી કાલાવડ રોડ સ્થિત બાનલેબની ઓફીસે લાવવામાં આવશે. ત્યાથી અમીનમાર્ગના છેડે ડુંગર દરબારથી બીગબઝાર થઇ નાનામૌવા સર્કલ, નાનમૌવા મેઇન રોડ, પાર્ક એવન્યુ સામે, મહાત્મા ગાંધી સ્કૂલ પાસે થઈ, ભારત પેટ્રોલીયમ પાસે થી અલય પાર્ક મેઈન રોડ પર, સિલીકોન વેલી સરદાર વલ્લભભાઈ માર્ગ પર થઈ ને જયભીમ નગર મેઇન રોડ, સ્પીડવેલ ચોક, હવેલી ખાતે થઈ પરસાણા ચોક ન્યુ 150 ફુટ રીંગ રોડ પાસે સમાપન થશે. આ સમગ્ર શોભાયાત્રા દરમ્યાન ભાવીકો ‘ધ્વજાજી’ ના દર્શન અને સામૈયાનો લાભ લઇ શકે તે માટે વિવિધ સ્થળોએ 8 જેટલા સ્ટેજની વ્યવસ્થા કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણીની લાડકવાયી દીકરી ચિ. રાધાના લગ્નોત્સવ નિમિતે ત્રિ-દિવસીય મનોરથ ઉત્સવ ઇશ્વરીયામાં વૃંદાવનધામ ખાતે યોજાશે. ત્યારે તા. 4 ને શનિવારે રાજકોટ આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ મૌલેશભાઈ ઉકાણીના નિવાસ સ્થાને પધારી સમગ્ર ઉકાણી પરિવારને લગ્નોત્સવ નિમિતે શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રીએ ઉકાણી પરિવારના મુરબ્બી ડો. ડાયાભાઈ પટેલના ખબરઅંતર પૂછ્યા હતા.

વર-વધુ ચિ. રાધા, ચિ. રીશી ને આર્શીવાદ પાઠવી બંને વેવાઈ મૌલેશભાઈ ઉકાણી અને નીતીનભાઈ કણસાગરાને શુભેચ્છાઓ આપી સમગ્ર પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીની સાથે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ, સંજયભાઈ કોરડીયા, મેયર નયનાબેન પેઢડીયા, રાજુભાઈ ધ્રુવ જોડાયા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *