છેલ્લા કાર્યકાળમાં વિકાસનો પાયો નાખ્યો, હવે ઉદેશ્ય પ્રગતિના બીજ વાવવાનો છે,Hemant Soren

Share:

Ranchi,તા.૧૩

ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેને જણાવ્યું હતું કે જેએમએમના નેતૃત્વવાળી સરકારના અગાઉના કાર્યકાળ દરમિયાન રાજ્યના વિકાસ માટે મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો અને હવે પ્રગતિને વેગ આપવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું કે રાજ્યપાલ સંતોષ ગંગવારે બુધવારે વિધાનસભામાં આપેલું ભાષણ સરકારનું ’વ્હાઈટ પેપર’ હતું, જે સ્પષ્ટપણે સરકારનું વિઝન અને દિશા દર્શાવે છે.

ગૃહમાં રાજ્યપાલના ભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપતાં સીએમ સોરેને કહ્યું, ’અમે ૨૦૧૯ પછીના છેલ્લા કાર્યકાળ દરમિયાન રાજ્યના સર્વાંગી વિકાસ માટે મજબૂત પાયો નાખ્યો છે. હવે, પાયા પર બિલ્ડિંગ બનાવવાનો સમય છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને અન્ય ક્ષેત્રોમાં ખૂબ જ ટૂંક સમયમાં તકો દેખાશે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે તેમની સરકાર રાજ્ય સચિવાલયથી નહીં પરંતુ ગામડાઓમાંથી ચાલશે.

તેમણે કહ્યું, ’મારું માનવું છે કે જ્યાં સુધી ગ્રામીણ અર્થતંત્રમાં સુધારો નહીં થાય ત્યાં સુધી રાજ્યના સર્વાંગી વિકાસની અપેક્ષા રાખી શકાય નહીં. આ સરકારે હંમેશા ગરીબો, આદિવાસીઓ, દલિતો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ માટે કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે. સીએમ સોરેને દાવો કર્યો હતો કે ૨૦૧૯માં જેએમએમની આગેવાની હેઠળનું ગઠબંધન સત્તામાં આવ્યા બાદ, રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યટન અને રોજગાર સર્જન સહિતના ઘણા ક્ષેત્રોમાં વાસ્તવિક ફેરફારો જોવા મળ્યા હતા.

આ દરમિયાન, તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને દાવો કર્યો કે લોકો ભૂખથી મરી રહ્યા છે અને ૨૦૧૯ પહેલા જ્યારે ભગવા પાર્ટી રાજ્યમાં શાસન કરી રહી હતી ત્યારે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા હતા. તેમણે કહ્યું, ’૨૦૧૯ પહેલા લોકો ખુશ ન હતા. ૨૦૧૯ માં ગઠબંધન સરકારની રચના પછી, સરકારે લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું. વર્તમાન કાર્યકાળમાં વિપક્ષ પાસેથી સહકારની અપેક્ષા રાખતા સોરેને કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં તેમની સરકારને તોડી પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે રાજ્યમાં સવારે ૧૧ વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થયા બાદ તરત જ ત્નસ્સ્ ધારાસભ્ય સ્ટીફન મરાંડીએ રાજ્યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેએમએમના ધારાસભ્ય હેમલાલ મુર્મુની ભગવા છાવણીના નેતાઓ પર કથિત અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં જ્યારે ભાજપના ધારાસભ્યો ગૃહના વેલમાં આવ્યા ત્યારે વિધાનસભામાં પણ હોબાળો થયો હતો.

સ્પીકર રવિન્દ્ર નાથ મહતોએ તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે જેએમએમ ધારાસભ્યએ ભૂલ કરી હતી, જેને રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવી છે. આ અંગે બીજેપી ધારાસભ્ય નીરા યાદવે કહ્યું, ’સદનમાં ૧૨ મહિલાઓ છે. અમે આવા અસંસદીય શબ્દો સ્વીકારી શકતા નથી. અમે ઈચ્છીએ છીએ કે જેએમએમના ધારાસભ્યો માફી માંગે. ભાજપના વરિષ્ઠ નેતા બાબુલાલ મરાંડીએ સ્પીકરને તેનો સખત વિરોધ કરવા વિનંતી કરી.

તેમના ભાષણ દરમિયાન બાબુલાલ મરાંડીએ ગૃહમાં કથિત વસ્તી વિષયક પરિવર્તન, બગડતી કાયદો અને વ્યવસ્થા અને રેતી સંકટનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના વિધાનસભ્ય પ્રદીપ યાદવે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે તાજેતરના ચૂંટણી પ્રચાર દરમિયાન ઝારખંડમાં લોકોને છેતરવાનો અને સાંપ્રદાયિક સંવાદિતાને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

દરમિયાન, જેએમએમના ધારાસભ્ય હેમલાલ મુર્મુએ દાવો કર્યો હતો કે ભાજપ ’અસ્વીકાર્ય’ બળ બની ગયું છે અને ઝારખંડના મતદારોએ ચૂંટણીમાં તેમને ’પાઠ શીખવ્યો’ છે. આ દરમિયાન જેએમએમ ધારાસભ્ય કલ્પના સોરેને કહ્યું, ’અમારી સરકાર ’અબુઆ સરકાર’ છે અને તે તાજેતરની વિધાનસભા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલા તમામ વચનો પૂરા કરશે.’ બાદમાં, ઝારખંડ વિધાનસભાએ રાજ્યપાલના ભાષણ પર ધ્વનિ મત દ્વારા આભાર પ્રસ્તાવ પસાર કર્યો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *