Chhattisgarh નાઅંબિકાપુર-બિલાસપુર નેશનલ હાઈવે પર અકસ્માત,પાંચના મૃત્યુ

Share:

Chhattisgarh,તા.૧

છત્તીસગઢના સુરગુજા જિલ્લામાં અંબિકાપુર-બિલાસપુર નેશનલ હાઈવે ૧૩૦ પર ઉદયપુર નજીક એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. રાયપુરથી અંબિકાપુર તરફ જઈ રહેલી કારને ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં કારના ફુરચા ઉડી ગયા હતા. કારમાં મુસાફરી કરી રહેલા ચાર લોકોનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એકનું ઉદયપુર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મૃત્યુ થયું હતું. આ ઘટના રવિવારે સવારે ૫ થી ૫ઃ૩૦ વાગ્યાની વચ્ચે બની હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રક અંબિકાપુરથી બિલાસપુર તરફ જઈ રહી હતી. કાર ચાલકો રાયપુરથી અંબિકાપુર તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન ઉદયપુરના અદાણી ગેસ્ટ હાઉસ પાસે બંને વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.અકસ્માત બાદ ટ્રક ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેની ટ્રક પલટી જતાં કારને વધુ નુકસાન થયું હતું. કાર ઉડી ગઈ હતી અને તેમાં સવાર લોકો કારની અંદર ખરાબ રીતે કચડાઈ ગયા હતા. જેના કારણે તમામના મોત થયા હતા.

કારમાં સવાર પાંચ લોકો ચંગોરાભાથા રાયપુરના રહેવાસી છે, તેઓ જગદલપુર જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, તેમનો પ્લાન અચાનક સુરગુજા જિલ્લાના મેનપત જવાનો બની ગયો, આ દરમિયાન અદાણી ગેસ્ટ હાઉસ, ઉદયપુર પાસે અકસ્માત થયો હતો. કારમાં સવાર પાંચેય લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ કુમારી ચંદ્રકરે તેમની ટીમ સાથે કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે કટરની મદદ લેવી પડી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

આ ભયાનક માર્ગ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા દિનેશ સાહુ, સંજીવ, રાહુલ, દુષ્યંત, સ્વપ્નિલનું મોત નીપજ્યું હતું. આ તમામ યુવકોની ઉંમર ૨૫ થી ૩૫ વર્ષની વચ્ચે હતી. પોલીસે આ અકસ્માત અંગે પરિવારને જાણ કરી છે, તેઓ રાયપુરથી ઉદયપુર જવા રવાના થયા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *