સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને આઈએસએસ પરથી પૃથ્વી પર પરત લાવવાની કામગીરીને ફરી પાછો નવો અવરોધ નડ્યો છે. નાસા અને સ્પેસએક્સ દ્વારા વિલિયમ્સ અને વિલ્મોરને પૃથ્વી પર પાછા લાવવાના સ્પેસ ક્રૂ-8 મિશનમાં સતત અડચણો આવી રહી છે.
અંતરિક્ષ એજન્સી નાસાના જણાવ્યા પ્રમાણે, ફ્લોરિડામાં ભીષણ વાવાઝોડાના કારણે મિશનને પૃથ્વી પર પરત લાવવાની કામગીરી બુધવાર સુધી ઠેલવાઈ છે. ખરાબ હવામાનના કારણે નાસા દ્વારા અનડોકિંગનો પ્રયાસ ન કરવા નિર્ણય લેવાયો છે. સ્પેસ ક્રૂ-8 મિશનમાં સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરિક્ષમાં જ ફસાયા છે. મિશનના અધિકારી કોઈપણ અંતિમ નિર્ણય લેતાં પહેલાં હવામાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ક્રૂ-8ના સભ્ય મેથ્યૂ ડોમિનિક, માઈક બેરેટ, જીનેટ એપ્સ, અને રોસ્કોસ્મોસના એલેકજેન્ડર ગ્રેબેન્કિનએ યોજનાબદ્ધ પ્રસ્થાનની તૈયારીઓ કરી છે.
ચાર મહિનાથી અંતરિક્ષમાં જ અટવાયા
નાસા અને સ્પેસએક્સનુ ક્રૂ-8 મિશન ક્રૂ-9 મિશનનું પૂર્વવર્તી મિશન છે. જેનો ઉદ્દેશ અંતરિક્ષ યાત્રી બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સને આઈ.એસ.એસ. પરથી પરત લાવવાનો છે. બંને જૂનમાં બીંગના સ્ટાઈલાઈનર અંતરિક્ષ યાન પર આઠ દિવસના મિશન પર ગયા હતા. જે ચાર મહિનાથી અંતરિક્ષમાં જ અટવાઈ ગયા છે.
સ્ટારલાઈનરમાં ખામી
સ્ટારલાઈનરમાં ટેકનિકલ ખામીને કારણે, અવકાશયાનને સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર વિના પૃથ્વી પર પાછા ફરવું પડ્યું હતું. ક્રૂ-8 મિશન ફેબ્રુઆરી 2025 સુધીમાં સુનિતા વિલિયમ્સ અને વિલ્મોરને પરત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
NASA અને SpaceX ક્રૂ-8 મિશનની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને જો પરિસ્થિતિ સુધરશે તો તેઓ આજે રાત્રે 9:05 વાગ્યા સુધી (કાલે IST 6:35 વાગ્યે) અનડૉક કરવાનો પ્રયાસ કરશે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ સપ્તાહના અંત સુધીમાં તેમાં સુધારો જોવા મળશે. આ ક્રૂ-8 મિશન માટે પૃથ્વી પર પાછા ફરવા માટે સલામત સમય પ્રદાન કરી શકે છે. ક્રૂ-8 મિશનના ક્રૂમાં અવકાશયાત્રીઓ મેથ્યુ ડોમિનિક, જીનેટ એપ્સ, માઇક બેરેટ (બધા નાસાના) અને રશિયાના રોસકોસમોસના એલેક્ઝાન્ડર ગ્રીબેનકિનનો સમાવેશ થાય છે. હાલમાં, ક્રૂ આઈએસએસ પર છે.
સ્પેસ સ્ટેશન ક્રૂ માટે ફેરફારો
એક્સપિડિશન 72 કમાન્ડર સુનિતા વિલિયમ્સ, ફ્લાઇટ એન્જિનિયર્સ બુચ વિલ્મોર, નિક હેગ અને ડોન પેટિટે પણ ક્રૂ-8ના પ્રસ્થાનમાં મદદ કરવા માટે તેમના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે.