Jamnagarના ૪ આહીર પરિવારજનોના સામુહિક suicide પ્રકરણમાં ૨ની ધરપકડ

Share:

Jamnagar,તા.૧૨

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાબેના ધારાગઢ વિસ્તારમાંથી બુધવારે મળી આવેલી જામનગરના આહિર દંપતી તેમજ તેમના પુત્ર-પુત્રીના મૃતદેહ સંદર્ભે સામુહિક આપઘાતના નોંધાયેલા પ્રકરણમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા બે શખ્સો સામે પોતાના ભાઈ તેમજ તેમના પરિવારજનોને મરી જવા માટે મજબૂર કરવા સબબની ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે સંદર્ભે જિલ્લા પોલીસની ટીમે જામનગરના બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લીધા હતા.

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામના મૂળ રહીશ અને હાલ જામનગરમાં માધવબાગ – ૧ ખાતે રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉ.વ. ૪૨), લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉ.વ. ૪૨), જીજ્ઞેશ અશોકભાઈ ધુંવા (ઉ.વ. ૨૦) અને કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉ.વ. ૧૮) નામના ચાર પરિવારજનોએ બુધવારે ધારાગઢ વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પાસે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.

આ ચકચારી સામૂહિક આત્મહત્યા આ પ્રકરણમાં પોલીસ દ્વારા સ્થળ નિરીક્ષણ તેમજ તપાસ દરમિયાન મૃતદેહ નજીકથી ઝેરી દવાનું ડબલું, પ્લાસ્ટિકના ગ્લાસ, થમ્સ અપની બોટલ વિગેરે મળી આવ્યા હતા. વધુ તપાસમાં આ સ્થળેથી પ્લાસ્ટિકના ઝબલામાંથી ત્રણ મોબાઈલ ફોન ઉપરાંત હાથે લખેલી ચીઠ્ઠી, મૃતકના પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ વિગેરે પણ સાંપળ્યા હતા.

આ પોલીસ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મૃતક અશોકભાઈના મૃતદેહ પાસેથી સાંપળેલા અલગ અલગ મોબાઈલ ફોનમાં રહેલા વોટ્‌સએપ મેસેજ તેમજ વીડિયો ક્લિપ ઉપરાંત અહીંથી મળી આવેલી સ્યુસાઈટ નોટના આધારે ખુલવા પામ્યું હોતું કે એક વીડિયો ક્લિપમાં ચાર વ્યક્તિઓ અશોકભાઈને ધમકાવતા અને મારતા હતા અને કોઈ પ્રકારનું લખાણ લખાવી અને તેના કાગળો પોતે રાખી લીધા હતા. અન્ય એક મોબાઈલ નંબર પર મંગળવારે કાલે કાળા કલરની બોર્ડર વાળી નોટમાં લખેલા લખાણમાં “વી.એમ. મેટલ વિશાલ જાડેજા પાસેથી અમે માલ દીધો હતો. તેના રૂપિયા ૨૦ લાખ તેમજ ત્યાર બાદ પિયુષ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં હું અશોકભાઈ માલ લઈ ગયો. હું તેના રૂપિયા ૫,૮૭,૯૬૨ મારે આપવાના છે. ત્યાર બાદ ચામુંડા એન્ટરપ્રાઇઝમાં મારા જુદા જુદા બે બિલના પૈસા માટે ભવાની એન્ટરપ્રાઇઝમાં લેઝર મુજબના નાણા મારે આપવાના છે. આ બધી જવાબદારી હું તથા મારો પુત્ર જતીન અશોક ધુવા પૈસાની જવાબદારી લઈએ છીએ. અમને એક પણ વસ્તુની જોર-જબરજસ્તી કરવામાં આવી નથી. અમે માલ દીધો છે, તેના પૈસા અમે ચૂકવ્યા નથી”- તે મતલબનું લખાણ જોવા મળ્યું હતું.

મૃતક અશોકભાઈના પત્ની લીલુબેનના મોબાઈલમાં “ભાઈ”ના નામથી સેવ કરેલા ચોક્કસ નંબર પરથી ત્રણ વીડિયો ક્લિપ મોકલવામાં આવી હતી. જેમાં કુલ ચાર વ્યક્તિઓ દ્વારા અશોકભાઈને ધમકાવી મારતા હોવાનું અને નોટમાં કંઈ લખાવી તેના કાગળો લઈ લીધાનું જણાયું હતું. અશોકભાઈ પાસે પૈસાની કડક ઉઘરાણી “ભાઈ”ના નામથી નામના વ્યક્તિને વોટ્‌સએપ મેસેજમાં “વિશાલ જાડેજા દરબાર વી. એમ. મેટલ વાળાએ બળજબરી કરી, પૈસા લેવા માટે. તેનાથી અમોને હેરાન છીએ”. “તેણે અમને ખૂબ હેરાન કર્યા છે. તેનાથી અમો મરી જઈએ છીએ”- જેવા જુદા જુદા છ મેસેજ પણ હોવાનું ખુલવા પામ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *