શું રાહુલ, જાડેજા અને શમીને England સામેની ટેસ્ટ મેચમાં તક મળશે ?

Share:

Sydney,તા.09

ટીમ ઈન્ડિયાનું ફોકસ હવે લાલ બોલમાંથી સફેદ બોલ પર જશે. સતત બે ટેસ્ટ શ્રેણી ગુમાવ્યાં બાદ હવે તેણે જૂનમાં ઇંગ્લેન્ડ સામે આગામી પાંચ દિવસીય મેચ રમવાની છે.

આ મહિનાનાં અંતમાં તેને ઈંગ્લેન્ડ સામે ટી-20 અને વનડે શ્રેણી રમવાની છે. આ પહેલાં ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વનડે ટીમમાં બેટિંગની કરોડરજ્જુ બની રહેશે. પરંતુ જોવાનું એ રહે છે કે, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીને પણ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં સ્થાન મળશે કે નહીં.

જોકે ત્રણેય ગયાં વર્ષે વર્લ્ડ કપ ટીમનો ભાગ હતાં. હવે પસંદગીકારો જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પસંદગી કરવા બેસશે ત્યારે તેઓને ઘણી ચિંતા થશે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. પાકિસ્તાન તેનું યજમાન છે.

જો કે ભારતીય ટીમે તેની મેચ દુબઈમાં રમવાની છે. ભારત તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. તેણે સુરક્ષાનાં કારણોસર પાકિસ્તાનમાં રમવાની ના પાડી દીધી છે.

યશસ્વી દાવેદાર
અમદાવાદમાં 2023 વનડે વર્લ્ડ કપ ફાઈનલ બાદ ભારતે છ વનડે રમી છે. જેમાં શમી અને જાડેજાને આરામ આપવામાં આવ્યો હતો પરંતુ રાહુલને દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકામાં દ્વિપક્ષીય શ્રેણીમાં ટીમમાં જગ્યા મળી હતી. રાહુલને શ્રીલંકા સામેની સીરીઝમાં અધવચ્ચે જ બહાર કરી દેવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામેની ટાઈટલ મેચમાં હારનું મુખ્ય કારણ 100 થી વધુ બોલમાં તેની અડધી સદી. એવું માનવામાં આવે છે કે, યશસ્વી જયસ્વાલને પણ વનડે ટીમમાં ડેબ્યૂ કરવાની તક મળે તેવી શક્યતા છે. આનાથી ડાબોડી બેટ્સમેન ટોપ ચારમાં સ્થાન મેળવશે. યશસ્વીએ ટેસ્ટ અને ટી-20 માં શાનદાર પ્રદર્શન કર્યું છે. 

ગૌતમની પસંદગી સેમસન
જો પંત વિકેટકીપિંગ માટે પ્રથમ પસંદગી હોય તો રાહુલને બેકઅપ તરીકે રાખવાનો કોઈ અર્થ નથી. જો રાહુલ વિકેટ કીપિંગ ન કરી રહ્યો હોય તો બેટ્સમેન તરીકે ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત નથી. તેનાં નજીકનાં હરીફોમાં ઈશાન કિશન વિજય હજારે ટ્રોફીમાં રન કરી શક્યો ન હતો.

સંજુ સેમસનને શરૂઆતની મેચોમાંથી બાકાત રાખ્યાં બાદ કેરળની ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો. જો કોચ ગૌતમ ગંભીર હજુ પણ પસંદગીની બાબતોમાં પોતાની ચલાવી શકે છે, તો સેમસન ટીમમાં આવી શકે છે કારણ કે તે તેનો ફેવરિટ છે. 

અક્ષર જાડેજા પર ભારે પડી શકે છે
સફેદ બોલના ફોર્મેટમાં જાડેજાનું ફોર્મ એટલું સારું રહ્યું નથી. સૂત્રોનું માનવું છે કે, પસંદગી સમિતિને વનડેમાં અક્ષર પટેલ વધુ સારો વિકલ્પ લાગે છે. વોશિંગ્ટન સુંદરની પસંદગી લગભગ નક્કી જ છે, પરંતુ પસંદગીકારો કુલદીપની ફિટનેસ પર નજર રાખી રહ્યાં છે. તે સંપૂર્ણ રીતે ફિટ દેખાઈ રહ્યો છે પરંતુ વિજય હજારે ટ્રોફીમાં એક પણ મેચ રમ્યો નથી. જો તે નહીં રમે તો રવિ બિશ્નોઈ કે વરુણને તક મળી શકે છે. 

ફિટનેસ શમીની મુશ્કેલીઓ વધારી શકે
ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની ફિટનેસને લઈને પસંદગી સમિતિ સમક્ષ ચિત્ર સ્પષ્ટ નથી. તેણે વિજય હજારે ટ્રોફીમાં છેલ્લી બે મેચમાં આઠ ઓવર ફેંકી હતી. જો પીઠની સમસ્યાને કારણે બુમરાહ રમી શકતો નથી તો શમીનો અનુભવ ઘણો ઉપયોગી સાબિત થઈ શકે છે.

કેએલ રાહુલ 3000 રનની નજીક છે
કેએલ રાહુલ વનડેમાં ત્રણ હજાર રન બનાવવાની નજીક છે. તેણે 77 મેચમાં 32.56 ની એવરેજથી 2851 રન બનાવ્યાં છે. જેમાં સાત સદી અને 18 અડધી સદી સામેલ છે.

► જાડેજા – શમી 14 મહિનાથી વનડે રમ્યાં નથી
જાડેજા અને શમીએ છેલ્લાં 14 મહિનાથી એકપણ આંતરરાષ્ટ્રીય વનડે મેચ રમી નથી. બંનેએ પોતાની છેલ્લી મેચ 2023ના વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં રમી હતી. આમાં શમીએ કોઈ વિકેટ લીધી ન હતી જ્યારે જાડેજાએ પણ કોઈ વિકેટ લીધી ન હતી. આ પછી શમીએ ઘૂંટણની સર્જરી કરાવી હતી. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *