Pakistanમાં થયેલા આતંકવાદી હુમલામાં અફઘાન નાગરિકોની સંડોવણીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે

Share:

Pakistan,તા.૬

ગુપ્તચર અહેવાલોએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલામાં અફઘાન નાગરિકોની સંડોવણીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. પાકિસ્તાની સેનાએ બુધવારે આ વાત કહી. આ હુમલામાં પાંચ પાકિસ્તાની સૈનિકો અને ૧૩ નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે ચાર આત્મઘાતી બોમ્બર સહિત ૧૬ આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. મંગળવારે મોડી રાત સુધીમાં, એવા અહેવાલો આવ્યા હતા કે ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના બન્નુમાં વિસ્ફોટકોથી ભરેલા બે વાહનો મુખ્ય છાવણીની દિવાલ સાથે અથડાતા ચાર બાળકો સહિત ૧૨ નાગરિકો માર્યા ગયા હતા, જ્યારે સૈન્યના જવાનોએ ઓછામાં ઓછા છ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

પેશાવરથી લગભગ ૨૦૦ કિમી દક્ષિણ-પશ્ચિમમાં બન્નુ છાવણી પર થયેલા હુમલા બાદ, પાકિસ્તાન સેનાએ કહ્યું કે તે સરહદ પારથી ઉદ્ભવતા ખતરાના જવાબમાં જરૂરી પગલાં લેવાનો અધિકાર અનામત રાખે છે. “ઇસ્લામાબાદ અપેક્ષા રાખે છે કે કાયર્કારી અફઘાન સરકાર તેની જવાબદારીઓ પૂર્ણ કરશે અને પાકિસ્તાન વિરુદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તેની જમીનનો ઉપયોગ થવા દેશે નહીં,” લશ્કરની મીડિયા શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું.

આઇએસપીઆરના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુપ્તચર અહેવાલોએ “આ ઘૃણાસ્પદ કૃત્યમાં અફઘાન નાગરિકોની સંડોવણીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે, અને પુરાવા એ પણ દર્શાવે છે કે આ હુમલો અફઘાનિસ્તાનમાં સક્રિય ખાવરીજ આતંકવાદીઓ દ્વારા આયોજન અને નિર્દેશિત કરવામાં આવ્યો હતો.” હાફિઝ ગુલ બહાદુર સાથે જોડાયેલા જૈશ અલ ફુરસાને એક નિવેદનમાં બન્નુમાં થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ જૂથ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના અનેક જૂથોમાંથી એક છે.આઇએસપીઆરએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ બન્નુ છાવણીની પરિમિતિ દિવાલ પર વિસ્ફોટકો ભરેલા વાહનોને ટક્કર મારી હતી, ઘણા આતંકવાદીઓએ ઉચ્ચ સુરક્ષા ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, સૈનિકોએ ઘૂસણખોરોને ચોકસાઈથી ઠાર કર્યા હતા અને ચાર આત્મઘાતી બોમ્બર સહિત તમામ ૧૬ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

આઇએસપીઆરએ જણાવ્યું હતું કે ભીષણ ગોળીબારમાં પાંચ સૈનિકો માર્યા ગયા હતા. દરમિયાન, આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોમાં એક મસ્જિદ અને રહેણાંક મકાનને “ગંભીર નુકસાન” થયું, જેમાં ૧૩ નાગરિકો માર્યા ગયા જ્યારે ૩૨ ઘાયલ થયા. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી, વડા પ્રધાન શાહબાઝ શરીફ અને પ્રાંતીય ગવર્નર ફૈઝલ કરીમ કુંડી અને મુખ્ય પ્રધાન અલી અમીન ગંડાપુરે આ હુમલાની નિંદા કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *