Dwarka માં ફુલડોલ ઉત્સવનો ઉત્સાહ ચરમસીમાએ:કાલે દોલોત્સવની ઉજવણી

Dwarka, તા. 13 યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજસુધી ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અબીલ ગુલાલની છોળ સાથે ફુલડોલ ઉત્સવને વધાવવામાં આવી રહયો છે. […]

Dwarka તરફ કાળીયા ઠાકોર સંગ રંગે રમવા પદયાત્રીઓનું અવરિત પ્રયાણ

Dwarka,તા.10 હોળી-ધુળેટીનું પર્વ નજીક આવતા જ ગુજરાત અને ગુજરાત બહારથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. જામનગરમાંથી પસાર થતા પદયાત્રીઓ જય રણછોડ અને જય દ્વારકાધીશના નારા સાથે ઉત્સાહભેર આગળ વધી રહ્યા છે. ગુરૂવાર સુધીમાં કાનાની કર્મભૂમિ દ્વારકા પહોંચી શકાય તે પ્રમાણે ગણતરી કરીને જુદા-જુદા ગામ અને શહેરથી પદયાત્રી રવાના થયા છે. બે […]

Dwarka તાલુકાના ગોરીંજા ગામના યુવાન પર પાઈપ વડે હુમલો

Dwarka ,તા.7 દ્વારકા તાલુકાના ગોરીંજા ગામે રહેતા કારાભાઈ કરમણભાઈ વીકમા નામના 40 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન પર અગાઉ મજૂરીના પૈસા માંગવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુ:ખ રાખીને આરોપી દેવશી પુના વીકમા અને ઘેલા પુના વીકમા નામના બે શખ્સોએ લોખંડના પાઈપ વડે હુમલો કરી, બીભત્સ ગાળો કાઢી, માર મારવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. કલ્યાણપુર […]

Dwarka ના સાત ટાપુઓ પર ૫૦૦થી વધુ દબાણો દૂરઃ ઓપરેશન ડિમોલિશન ખતમ

Dwarka ,તા.૨૧ દેવભૂમિ દ્વારકાના અલગ અલગ સાત ટાપુઓ પર ગેરકાયદે ઊભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવ્યા છે.  જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ૩૬ ગેરકાયદે સ્ટ્રકચરલ દબાણ હટાવી સાત ટાપુઓ સંપૂર્ણ દબાણમુક્ત કર્યા છે. જિલ્લાના અત્યંત સંવેદનશીલ માનવામાં આવતા કાંઠા વિસ્તારમાં વધી ગયેલા ગેરકાયદેસરના દબાણો હટાવવાનું ઓપરેશન ૧૧મી જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં […]

હવે Dwarka માં ચાલ્યું બુલડોઝર: રૂક્ષ્મણિ મંદિર નજીક દબાણો દૂર કરાયા

Dwarka ,તા.18દ્વારકામાં શનિવાર તારીખ 11 મી થી શરૂ કરવામાં આવેલા ઓપરેશન ડિમોલિશનના આજે આઠમા દિવસે બેટ દ્વારકા બાદ દ્વારકા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં દ્વારકાના ખારા તળાવ વિસ્તારમાં આજે સવારથી કાર્યવાહી શરૂ કરાઈ હતી.  જાણવા મળતી વિગત મુજબ બેટ દ્વારકા વિસ્તારમાં દબાણ હટાવ કામગીરી મહદ અંશે પૂર્ણ થઇ ચૂક્યા બાદ આજે […]

Bet Dwarka માં ઓપરેશન ડિમોલિશનના છઠ્ઠા દિવસે રૂ.6 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાવાઈ

Dwarka, તા.17દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં ગત તારીખ 11 મી થી શરૂ થયેલું ઓપરેશન ડિમોલિશન આજરોજ શુક્રવારે સાતમા દિવસમાં પ્રવેશ્યું છે. છેલ્લા સતત એકાદ સપ્તાહથી જે.સી.બી., હિટાચી મશીનોને ધણધણાટીએ બેટ દ્વારકા અને ઓખા વિસ્તારને ધમધમાવ્યું છે. જિલ્લા પ્રશાસન દ્વારા છ દિવસમાં કુલ રૂપિયા 59.11 કરોડની કિંમતની 1.14 લાખ ચોરસ મીટર જમીન પરના દબાણોને હટાવવામાં […]

Dwarka માં સતત ચોથા દિવસે ડિમોલિશન, 30 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાઈ

Dwarka,તા.15  બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે દબાણ દૂર કરવાની કામગીરી યથાવત છે. ત્રણ દિવસમાં બાલાપરમાં 260 જેટલાં મકાન તોડવામાં આવ્યા છે. આ સાથે ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલાં બાંધકામ દૂર કરી 60800 ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ત્રણ દિવસની અંદર આશરે 30 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. […]

Dwarka માં ફરી મેગા ડિમોલીશનની તૈયારી : 400ને નોટીસ

Dwarka,તા.9યાત્રાધામ દ્વારકામાં ચાલતા અવિરત વિકાસકાર્યોમાં આગામી સમયમાં સરકાર દ્વારા કોરિડોરના મહાત્વાકાંક્ષી પ્રોજેકટ શરૂ કરનાર હોય, દ્વારકામાં વિવિધ સ્તરે વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે દ્વારકામાં વખતોવખત ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી પણ પાછલા વર્ષોમાં કરવામાં આવી છે. હવેે વધુ એકવાર તંત્ર દ્વારા હાથી ગેઈટ સામેના વિસ્તારમાં 400 જેટલા આસામીઓને તંત્ર દ્વારા નોટીસ ફટકારાયા બાદ […]

Dwarka જતી બસ પલટી ખાતા મુસાફરો ઘાયલ

Dwarka,તા.૪ ગુજરાતમાં આજનો દિવસ ભારે રહ્યો છે. અમદાવાદથી દ્વારકા  પ્રવાસે જતી ખાનગી બસ દ્વારકા નજીક પલટી ખાતા અંદાજે ૨૦ મુસાફરો ઘાયલ થયા હતા. તો બીજી બાજુ સાબરકાંઠાના પ્રાંતિજમાં ટોલનાકા નજીક સુરતથી ઉદેપુર જઈ રહેલી લક્ઝરી બસમાં ટાયર ફાટતાં આગ ફાટી નીકળી હતી, જેમાં મુસાફરોના ઘરેણા, કપડા અને કિંમતી માલસામાન બળીને ખાખ થયો હતો. બસમાં સવાર […]

Bet Dwarka માં ભગવાનના દર્શન કરાવવા દલાલ પૈસા લૂંટતા હોવાનો વીડિયો વાયરલ

Dwarka,તા.૩૦ ગુજરાતમાં ફરી એકવાર વીઆઇપી દર્શન મામલે ચર્ચા ગરમાઈ છે. બેટ દ્વારકામાં ભગવાનના દર્શન કરાવવા દલાલ પૈસા લૂંટતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ભગવાનના વીઆઇપી દર્શન કરાવવા માટે જુદા-જુદા ભાવ દલાલો લગાવે છે ત્યારે કેટલાક ભક્તો શાંતિથી દર્શન કરવા માટે આ દલાલોનું સંપર્ક પણ કરતા હોય છે. ત્યારે શાંતિથી દર્શન કરવા માટે ૨૦૦થી ૨ હજાર […]