Tamilnadu : પુત્રએ પિતાનાં મૃતદેહ સામે સાત ફેરા લીધાં

Share:

Tamilnadu ,તા.13
રવિવારે સાંજે તમિલનાડુના કૃષ્ણગિરી જિલ્લાનાં મથુર નજીક એક હૃદયસ્પર્શી ઘટના બની હતી.તેનાં મોટા પુત્રની સગાઈ દરમિયાન 60 વર્ષનો એક માણસ મૃત્યુ પામ્યો.આ ઘટના લગ્નનાં એક દિવસ પહેલાં જ બની હતી.

સામાન્ય રીતે લગ્ન આવી પરિસ્થિતિમાં મુલતવી રાખવામાં આવે છે, પરંતુ અહીં કંઈક અલગ થયું.  ક્ધયા અને વરરાજાના લગ્ન થયાં અને બંનેએ પિતાનાં શબના આશીર્વાદ લીધાં હતાં. મૃતકનું નામ વરદરાજ હતું.

તે પેરુગોપાનાપલ્લી ગામનો કાપડ વેપારી હતો.  તેની પત્નીનું નામ મંજુલા છે, જે 48 વર્ષની છે.  તેનાં મોટા પુત્ર મનીષ (26) ના લગ્ન કાવ્યા પ્રિયા (21) સાથે થયાં હતાં.

લગ્ન સોમવારે સવારે મથુરના એક હોલમાં થવાનાં હતાં. રવિવારે સાંજે હોલમાં સગાઈ દરમિયાન વરદરાજ અચાનક પડી ગયા.  તેને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યા.  ડોકટરોના જણાવ્યાં મુજબ તેને હાર્ટ એટેક આવ્યું હતું.

લોકોએ લગ્નને મુલતવી રાખવાનું કહ્યું, કુટુંબ સંબંધીઓ અને તમામ મહેમાનો આ ઘટનાથી ચોંકી ગયાં. દરેક જણ લગ્નને મુલતવી રાખવાનો વિચાર કરી રહ્યો હતાં. ત્યારબાદ મૃતકની પત્ની મંજુલાએ મક્કમ ચુકાદો આપ્યો. તેમણે કહ્યું, ’મારા પતિએ આ લગ્નની બધી વ્યવસ્થા કરી હતી.  લગ્ન થાય ત્યારે જ તેનાં આત્માને શાંતિ મળશે.

બધાં લોકો મૂંઝવણમાં હતાં પરંતુ મંજુલા તેનાં નિર્ણય પર મક્કમ રહ્યાં. આખરે તેણે તે જ રાત્રે લગ્ન કરવાનું અને સોમવારે અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કર્યું.  આ નિર્ણય ખરેખર અનન્ય હતો.  દરેકની આંખોમાં આંસુ હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *