Rajkot તા.૧૯
રાજકોટના સરધાર ભાડલા રોડ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત બાદ આગ ફાટી નીકળવાની ઘટના બની છે. આ ગોઝારા અકસ્માતમાં ૪ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજકોટ જિલ્લાના સરધાર ભાડલા રોડ પર એક ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં બે કાર ધડાકાભેર અથડાયા બાદ આગ ફાટી નીકળી છે. જેમાં ૪ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. જે બે કાર વચ્ચે અકસ્માત થયો તે અલ્ટો કાર અને હોન્ડા સિટી કાર હતી. આ ઘટનામાં ૩ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આજીડેમ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
આ ઘટનામાં મૃત્યું પામનાર વ્યક્તિઓના નામ
૧) નિરુબેન અતુલભાઈ મકવાણા, ૩૦, રે. ગોંડલ
(૨) હેતવી અતુલભાઈ મકવાણા, ૪ વર્ષ, રે. ગોંડલ
(૩) હેમાંશી શાહીલ સરવૈયા, ૧૯, રે. ગોંડલ વિજય નગર
(૪) મિતુલ અશોકભાઈ સાકરીયા, ૧૩, રે. ગોંડલ
ઇજાગ્રસ્તોના નામ
(૧) શાહીલ સરવૈયા, ૨૨ વર્ષ, રે. ગોંડલ
(૨) હિરેન અતુલ મકવાણા, ૧૫ વર્ષ, રે. ગોંડલ
(૩) નિતુબેન અશોકભાઈ સાકરીયા, ૪૦, રે. ગોંડલ