RBIએ નવી નોટ બહાર પાડવાની કરી જાહેરાત

Share:

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટોને લઈને મોટી જાહેરાત કરી દીધી છે

New Delhi, તા.૧૨

હોળી પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટોને લઈને મોટી જાહેરાત કરી છે. RBIએ કહ્યું છે કે ટૂંક સમયમાં જ તે ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. જોકે, આ નવી નોટોની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

આ નવી નોટો પર નવા નિયુક્ત ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. સેન્ટ્રલ બેન્ક અનુસાર, આ એક સામાન્ય પ્રક્રિયા છે. જે અંતર્ગત દરેક નવા ગવર્નરની નિમણૂક બાદ તેમના હસ્તાક્ષરવાળી નોટો જારી કરવામાં આવે છે.

આરબીઆઈ સમયાંતરે વર્તમાન ગવર્નરના હસ્તાક્ષર સાથે નવી નોટ બહાર પાડે છે. નવા આરબીઆઈ ગવર્નરની નિમણૂક પછી નવી નોટો બહાર પાડવી એ નિયમિત પ્રક્રિયા છે. આ નવી નોટો ટૂંક સમયમાં ચલણમાં આવી જશે. સંજય મલ્હોત્રાએ ડિસેમ્બર ૨૦૨૪માં RBIના ૨૬મા ગવર્નર તરીકે શક્તિકાંત દાસનું સ્થાન લીધું છે.

સેન્ટ્રલ રિઝર્વ બેન્કે કહ્યું છે કે અગાઉ જારી કરાયેલી તમામ રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ ની નોટો કાયદેસર રહેશે અને તેને બદલી શકાશે નહીં. ચલણમાં રહેલી જૂની નોટોની માન્યતા પર કોઈ અસર નહીં પડે. આનો અર્થ એ છે કે કોઈપણ પ્રકારનું ડિમોનેટાઈઝેશન કરવામાં આવી રહ્યું નથી.

આરબીઆઈએ સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી ૫૦ રૂપિયાની નવી બેન્ક નોટ જારી કરવાની જાહેરાત કરી છે. ૫૦ રૂપિયાની નોટો પણ મહાત્મા ગાંધી (નવી) સિરીઝની હાલની ડિઝાઇનની હશે.

સેન્ટ્રલ બેન્કે એ પણ પુષ્ટિ કરી હતી કે પહેલાથી જારી કરાયેલી તમામ રૂ. ૫૦ની નોટ કાનૂની ટેન્ડર અને માન્ય રહેશે. આ નવી નોટો પર માત્ર RBI ગવર્નર મલ્હોત્રાના અપડેટેડ હસ્તાક્ષર હશે અને અન્ય કોઈ ફેરફાર થશે નહીં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *