મૌની અમાવસ્યા પર Poonam Pandey એ લગાવી મહાકુંભમાં આસ્થાની ડૂબકી

Share:

Mumbai,તા.૩૦

સર્વાઇકલ કેન્સરથી પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવીને સનસનાટી મચાવનાર બોલ્ડ એક્ટ્રેસ અને મૉડેલ પૂનમ પાંડે મૌની અમાવસ્યાના અવસર પર મહાકુંભમાં પહોંચી, જ્યાં તેણે અમૃત સ્નાન કર્યું. તે આ મહાન ઉત્સવની સાક્ષી બની અને ગંગામાં ડૂબકી લગાવીને તેણે પોતાના પાપો ધોઈ નાખ્યા. મહાકુંભમાં થયેલી દુઃખદ ભાગદોડની ઘટના પર પ્રતિક્રિયા આપતા તેણે તેને ’દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી.

ઘણા સ્ટાર્સની જેમ પૂનમ પાંડે પણ મહાકુંભમાં સ્નાન કરવા પહોંચી હતી. સંગમ કિનારા સુધી પહોંચવા માટે લોકોને ઘણા કિલોમીટર ચાલવું પડે છે. જોકે, પૂનમ પાંડેએ સંગમ બીચ પર પહોંચવા માટે સ્કૂટીની સવારી લીધી. તેણે ફેન્સ સાથે ભીડનો નજારો પણ શેર કર્યો.

તેણે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું કે, કેવી રીતે લોકોની ભીડ કેવી રીતે આસ્થાની ડૂબકી લગાવી રહી છે. તેણે ભાગદોડની ઘટના પર પણ દુઃખ વ્યક્ત કર્યું. પૂનમે ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર ઘણી પોસ્ટ શેર કરી છે. તે તેની ટીમના સભ્યો સાથે મહાકુંભ પહોંચી, જ્યાં તે ભીડમાં ફસાઈ ગઈ. તેની આસપાસ ઘણી ભીડ હતી. તેણે કહ્યું- ’શક્તિ ભલે ઓછી થઈ જાય પણ, શ્રદ્ધા ઓછી ન થવી જોઈએ.’ ઓમ નમઃ શિવાય.

ઈન્સ્ટાગ્રામ સ્ટેટ્‌સ પર વીડિયો શેર કર્યા બાદ તેણે તસવીર શેર કરી જેમાં તે ગંગા નદીમાં સ્નાન કરતી જોવા મળે છે. તેણે પોતાના ફોટો કેપ્શનમાં લખ્યું, ’મારા બધા પાપ ધોવાઈ ગયા છે.’ આ પછી તેણે હોડીની સવારી પણ કરી અને માછલીઓને ખવડાવ્યું.

પૂનમે મહાકુંભમાં મૌની અમાવસ્યા પર થયેલી ભાગદોડની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ હતી. આમ છતાં, ત્યાં ઘણા બધા લોકો જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે, અનુપમ ખેર, રેમો ડિસોઝા, મમતા કુલકર્ણી, ગુરુ રંધાવા, શંકર મહાદેવ, કૈલાશ ખેર સહિત અનેક સેલિબ્રિટીઓ પવિત્ર સ્નાન કરતા જોવા મળ્યા હતા. ૧૨ વર્ષ પછી યોજાઈ રહેલો મહાકુંભ ૧૩ જાન્યુઆરીથી શરૂ થયો હતો અને ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *