21 માર્ચ, “વિશ્વ કવિતા દિવસ” નિમિત્તે
કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છે
કવિ કે કવિતાનો ક્યાં કોઈ દિવસ હોય છે
કવિ તો બસ ભાવનાઓને જ વશ હોય છે
સંવેદના, વિરહની બીમારીથી પીડાય છે સતત
પાણી હોય ગરમ તોય કવિને ખસ હોય છે
દાદ, તાળી, લાઈક,ફોલો ને શેર નો છે ભૂખ્યો
કાવ્ય સાંભળે એ ઇનામ કવિને બસ હોય છે
સરસ્વતીનો છે ભક્ત માટે લક્ષ્મી તો અળગી
કાવ્ય માટે વેચાવામાં ટસ નો ના મસ હોય છે
હીરામાં કોલસો ને કોલસામાં હીરો જુએ એ
વ્યવહારું જગ ફોરવર્ડ ને કવિ ડાઇ વર્સ હોય છે
પ્રભુ સાવ હાથવગો,પ્રભુજન એથી જ અળગા
તાદુંલી કવિનાં ભાગ્યમાં લુખ્ખો જશ હોય છે
– મિત્તલ ખેતાણી(રાજકોટ,M.98 24221999) નાં કાવ્યસંગ્રહ ‘स्वान्तः सुखाय‘ માં થી