Bengaluru,તા.17
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના અધ્યક્ષ વી. નારાયણને રવિવારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ચંદ્રયાન-5 મિશનને મંજૂરી આપી દીધી છે. ISROના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ બેંગલુરુમાં એક કાર્યક્રમમાં જણાવ્યું.
તેમણે કહ્યું- માત્ર ત્રણ દિવસ પહેલા જ અમને ચંદ્રયાન-5 મિશન માટે મંજૂરી મળી છે. આમાં જાપાન આપણું સાથી બનશે. ચંદ્રયાન-3 મિશનમાં 25 કિલોગ્રામનું રોવર (પ્રજ્ઞાન) હતું, જ્યારે ચંદ્રયાન-5 મિશન ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે 250 કિલોગ્રામનું રોવર લઈ જશે.
ભવિષ્યના પ્રોજેક્ટ્સ અંગે નારાયણને જણાવ્યું હતું કે 2027 માં લોન્ચ થનારા ચંદ્રયાન-4 મિશનનો હેતુ ચંદ્રની માટીના નમૂનાઓ પાછા લાવવાનો છે. ગગનયાન સહિત અનેક મિશન ઉપરાંત, અવકાશમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાની યોજનાઓ ચાલી રહી છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેબિનેટે ચંદ્રયાન-4 મિશનને મંજૂરી આપી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર અવકાશયાન ઉતારવાનો, ચંદ્રની માટી અને ખડકોના નમૂના એકત્રિત કરવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત કરવાનો છે.
આ મિશનનો ખર્ચ 2104 કરોડ રૂપિયા થશે. આ અવકાશયાનમાં પાંચ અલગ અલગ મોડ્યુલ હશે. જ્યારે, 2023 માં ચંદ્ર પર મોકલવામાં આવેલા ચંદ્રયાન-3 માં ત્રણ મોડ્યુલ હતા – પ્રોપલ્શન મોડ્યુલ (એન્જિન), લેન્ડર અને રોવર.
ચંદ્રયાન-4 ના સ્ટેક 1 માં ચંદ્રના નમૂના સંગ્રહ માટે એસેન્ડર મોડ્યુલ અને સપાટી પર ચંદ્રના નમૂના સંગ્રહ માટે ડિસેન્ડર મોડ્યુલ હશે. સ્ટેક 2 માં થ્રસ્ટ માટે પ્રોપલ્શન મોડ્યુલ, નમૂનાને પકડી રાખવા માટે ટ્રાન્સફર મોડ્યુલ અને નમૂનાઓને પૃથ્વી પર પાછા લાવવા માટે રી-એન્ટ્રી મોડ્યુલ હશે.
આ મિશનમાં બે અલગ અલગ રોકેટનો ઉપયોગ કરવામાં આવશે. હેવી-લિફ્ટર કટખ-3 અને ISROનું વિશ્વસનીય વર્કહોર્સ ઙજકટ અલગ અલગ પેલોડ વહન કરશે.ચંદ્રયાન-4 મિશન અનેક તબક્કામાં પૂર્ણ થશે. ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી, બે મોડ્યુલ મુખ્ય અવકાશયાનથી અલગ થઈ જશે અને સપાટી પર ઉતરશે. બંને મોડ્યુલ ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરશે.
ત્યારબાદ ચંદ્રની સપાટી પરથી એક મોડ્યુલ લોન્ચ થશે અને ચંદ્રની ભ્રમણકક્ષામાં મુખ્ય અવકાશયાન સાથે જોડાશે. આ નમૂનાઓ પૃથ્વી પર પાછા ફરતા અવકાશયાનમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્રની સપાટી પરથી નમૂનાઓ એકત્રિત કરવા માટે એક રોબોટ તૈયાર કરી રહ્યા છે. વધુ ઊંડાણમાં ખોદકામ કરવાની ટેકનોલોજી પર કામ ચાલી રહ્યું છે. નમૂનાઓ એકત્રિત કરવા માટે ક્ધટેનર અને ડોકીંગ મિકેનિઝમની ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે.