New Delhi,તા.15
કોઈપણ ટીમ માટે તેનું ઘરેલું મેદાન તેનો મજબૂત ગઢ માનવામાં આવે છે, જ્યાં તેની જીતની શક્યતાઓ ઘણી પ્રબળ હોય છે, પરંતુ આઈપીએલ-2026માં ઘણી ટીમો માટે ઘરેલું મેદાન ઘણું અનલકી રહ્યું છે.
આ કારણે આ સીઝનમાં આ ટીમોનું પ્લેઓફમાં સ્થાન મેળવવાનું સમીકરણ પણ બગડી ગયું છે. ખાસ કરીને રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપરજાયન્ટ્સનું પોતાના ઘરેલું મેદાન પર પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. આ ટીમો ન તો પોતાની સ્થાનિક પરિસિ્થતિઓનો ફાયદો ઉઠાવી શકી કે ન તો ઘરેલું પ્રશંસકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી.
આઈપીએલ ટીમોનું પ્રદર્શન
* દિલ્હી કેપિટલ્સ દ્વારા 06 મેચ રમાયા છે જેમાંથી 01 જીત અને 05 હાર મળી છે.
* લખનઉએ 05 મેચમાંથી 01 માં જીત મેળવી છે અને 04માં હારનો સામનો કર્યો છે.
* મુંબઈની ટીમે 06 મેચ રમી છે જેમાં 02 જીત અને 04 હાર નોંધાઈ છે.
* રાજસ્થાન દ્વારા 03 મેચ રમાયા છે અને ત્રણેય (03) મેચમાં હાર થઈ છે, એટલે કે 00 જીત છે.
* ચેન્નઈએ 06 મેચ રમી છે જેમાંથી 04માં જીત અને 02માં હાર થઈ છે.
* ગુજરાતની ટીમે પણ 06 મેચ રમી 04 જીત અને 02 હાર મેળવી છે.
* કોલકાતાએ 04 મેચ રમી છે જેમાં 01 જીત અને 02 હાર થઈ છે (જ્યારે તેમનો એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગયો હતો).
* આરસીબીએ 04 મેચમાંથી 03 માં જીત અને 01માં હાર મેળવી છે.
* પંજાબની ટીમે પણ 04 મેચ રમી 03 જીત અને 01 હાર નોંધાવી છે.
* હૈદરાબાદે 06 મેચ રમી છે જેમાંથી 04માં જીત અને 02 માં હાર થઈ છે.
લખનૌની ચાર હાર બાદ પ્રથમ જીત
યજમાન લખનૌ સુપરજાયન્ટ્સ માટે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ અપેક્ષા મુજબનું રહ્યું નથી. કેપ્ટન ઋષભ પંતની આગેવાની હેઠળની લખનૌની ટીમને અહીં આ સીઝનમાં સતત ચાર મેચ હાર્યા બાદ પ્રથમ જીત નસીબ થઈ. આ ખરાબ પ્રદર્શનની અસર એ થઈ કે ટીમ આ સીઝનમાં પ્લેઓફમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની.
રાજસ્થાનનું ખાતું ન ખૂલ્યું, દિલ્હીની પણ હાલત ખરાબ
જયપુરમાં રોયલ્સ એક પણ મેચ જીતી શકી નહીં
રાજસ્થાન રોયલ્સ આ સીઝનની એકમાત્ર એવી ટીમ છે, જે હજુ સુધી પોતાનાં ઘરેલું મેદાન જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં એક પણ મેચ જીતી શકી નથી. ટીમે અહીં ત્રણ મેચ રમી છે અને ત્રણેયમાં તેને હાર મળી છે. રાજસ્થાનના બે ઘરેલું મેદાન છે. ટીમ છેલ્લા કેટલાક વર્ષોથી ગુવાહાટીમાં પણ કેટલીક મેચો રમે છે અને અહીં ટીમે તમામ ત્રણેય મુકાબલા જીત્યાં છે.
દિલ્હીએ ઘરમાં સૌથી વધુ મેચો હારી
દિલ્હી માટે ઘરેલું મેદાન એક ખરાબ સ્વપન જેવું રહ્યું છે અને તે આ સીઝનમાં ઘરમાં સૌથી વધુ મેચ હારનારી ટીમ રહી છે. અણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીએ છ મેચ રમી અને તેમાંથી પાંચમાં હાર મળી. દિલ્હીએ અહીં માત્ર શરૂઆતની મેચ જીતી હતી અને ત્યારબાદ પાંચ મેચો હારી હતી.
મુંબઈને સતત 4 મેચોમાં મળી હાર
વાનખેડે સ્ટેડિયમ એક સમયે મુંબઈ ટીમનો ગઢ માનવામાં આવતું હતું, પરંતુ આ સીઝનમાં તેને અહીં નિરાશા મળી છે. ટીમે અહીં છ મેચ રમી અને તેને સતત ચાર મેચોમાં હારનો સામનો કરવો પડ્યો. આ કારણે મુંબઈ ટીમના પ્રદર્શનમાં ઘટાડો આવ્યો અને તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ.

