શરીરના નિભાવ માટે ગાયને એક કિલો તથા ભેંસને બે કિલો સમતોલ દાણ આપવું જોઈએ.
• પાંચ માસની ગાભણ અવસ્થા પછી દૈનિક એક થી દોઢ કિલો વધારાનું દાણ આપવું જોઈએ.
• પશુને ખોરાકમાં નિયમિત ત્રીસ ગ્રામ જેટલું ક્ષાર મિશ્રણ અને 25 ગ્રામ મીઠું આપવું જોઈએ.
• દુધાળા પશુને સામાન્ય રીતે દૈનિક 20 કિલો લીલોચારો તથા આઠ થી દશ કિલો સૂકોચારો આપવો જોઈએ.
• કઠોળ વર્ગમાં રજકા જેવો ઘાસચારો, પૂરતા પ્રમાણમાં આપવાથી, દુધ ઉત્પાદન ઘટાડ્યા સિવાય, ખાણદાણનો ખર્ચ ઘટાડી શકાય છે.
• ધાન્ય વર્ગના ચારા જેવા કે મકાઈ, જુવાર, ઓટ, બાજરી, સેઢા-પાળાના ઘાસ છે. જ્યારે કઠોળ વર્ગના ચારા જેવા કે રજકો, ગુવાર, ચોળા, બરસીમ અને દશરથ ઘાસ છે.
• ફક્ત લીલાચારામાં જ વિટામીન ‘‘એ’ તથા અન્ય વિટામીન્સ હોઈ પ્રજનન પ્રક્રિયા નિયમિત બને છે અને નિયમિત વિયાણ થાય છે.
• પશુઓમાં વરોળપણું અને રતાંધળાપણું અટકાવી શકાય છે.
• ક્ષાર અને પોષક તત્વ પ્રમાણસર હોવાથી તંદુરસ્તી અને ઉત્પાદન જાળવી શકાય છે.
• પશુને હંમેશા જિલ્લા સંઘ દ્વારા બનાવાતું સમતોલ દાણ આપો. આ દાણ પશુને જરૂરી બધા પોષક તત્વો ધરાવતું હોય છે તથા સસ્તું હોય છે.
–મિતલ ખેતાણી (મો.98242 21999)