Cambridge ના પ્રોફેસર સંન્યાસી બની ગયાં

Share:

મહાકુંભ નગરીમાં દેશ-વિદેશના સંતો-મહાત્માઓ ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આમાંથી એક નામ સ્વામી મુક્તાનંદ ગિરીનું છે, જેઓ એક સમયે ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શિક્ષક હતાં. પંજાબનાં જાલંધરમાં જન્મેલાં 74 વર્ષના મુક્તાનંદ ગિરીએ શિક્ષણ અને કરિયરની ઉંચાઈ પર પહોંચ્યાં પછી ધર્મનો માર્ગ અપનાવ્યો હતો.

મુક્તાનંદ ગિરીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી, ઈંગ્લેન્ડમાંથી પીએચડી કર્યું અને ડબલ એમએની ડીગ્રી મેળવી છે. આ પછી તેણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. તેમની શાનદાર કારકિર્દી દરમિયાન તેમનું વાર્ષિક પેકેજ 20 લાખ રૂપિયાથી વધુ હતું. 1992 માં, 41 વર્ષની વયે, તેમણે સાંસારિક જીવન છોડી દીધું અને સનાતન ધર્મનો પ્રચાર શરૂ કર્યો હતો. તેમનાં પરિવારનાં સભ્યો હજુ પણ વિદેશમાં રહે છે, પરંતુ મુક્તાનંદ ગિરીએ નિવૃત્તિ પછી ક્યારેય પાછું વળીને જોયું નથી. 

આ દિવસોમાં, સ્વામી મુક્તાનંદ મહાકુંભમાં સેક્ટર 18ના સંગમ લોઅર રોડ ખાતે પાયલટ બાબાના કેમ્પની કામગીરીની દેખરેખ કરી રહ્યાં છે. સરળ સ્વભાવ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતાં મુક્તાનંદ ગીરી સાથે ભગવા વસ્ત્રોમાં સજ્જ ગિરી સાથે અસ્ખલિત અંગ્રેજી અને રશિયનમાં વાત કરતાં જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

સ્વામી મુક્તાનંદ કહે છે કે પંજાબમાં સંન્યાસીઓને ઘણીવાર ગૃહસ્થ જીવનમાં નિષ્ફળ ગણવામાં આવે છે, પરંતુ તેમણે આ ધારણાને ખોટી સાબિત કરી. તેમનાં શિક્ષણ અને કારકિર્દીને કારણે તેમને વિશ્વભરમાં ઓળખ મળી, પરંતુ તેમણે સંન્યાસનો માર્ગ અપનાવ્યો અને પોતાનું જીવન સંપૂર્ણપણે સનાતન ધર્મની સેવામાં સમર્પિત કર્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *