ગાંધીનગર, તા.૩૧
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જોકે સદનશીબે રાજ્યના કેબિનેટ મંત્રીનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજ્યનાં કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ર્ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Trending
- વડાપ્રધાન Narendra Modi એ લોન્ચ કર્યું વિક્રમ-૧ રોકેટ
- Bihar માં પ્રચંડ જીત બાદ હવે બંગાળનો વારો! ભાજપનો નવો નારો જહાં કમ વહાં હમ
- દિવ્યાંગો માટે વિશેષ શો કરે Samay Raina : સુપ્રીમ કોર્ટનો આદેશ
- OTT પ્લેટફોર્મ ઉપર વાંધાજનક કન્ટેન્ટને લઈને સુનાવણી હાથ ધરાઈ
- જીવાત્મા વિષયોનું સેવન કેવી રીતે કરે છે..?
- વૃક્ષનું જતન પ્રકૃતિનું રક્ષણ, જીવનનો આધાર
- ભારતીય કાયદાઓમાં વિરોધાભાસી જોગવાઈઓની જટિલતા-આંતરરાષ્ટ્રીય વિશ્લેષણ
- Sheikh Hasina ને બાંગ્લાદેશની કોર્ટ તરફથી ફટકો, ભ્રષ્ટાચારના ત્રણ કેસમાં ૨૧ વર્ષની જેલની સજા ફટકારી

