ગાંધીનગર, તા.૩૧
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જોકે સદનશીબે રાજ્યના કેબિનેટ મંત્રીનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજ્યનાં કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ર્ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Trending
- વિરાટ-રોહિતના ભવિષ્ય અંગે BCCIએ બેઠક બોલાવી
- લીસ્ટીંગ ગેઈનનું આકર્ષણ! આ વર્ષે IPO 18 વર્ષના રેકોર્ડ તોડશે
- India ના વસ્તી વધારામાં વર્ષ 2080 માં બ્રેક લાગી જશે
- સંસદના શિયાળુ સત્રનો હંગામા સાથે પ્રારંભ : `સર’-BLOની આત્મહત્યા મુદ્દા ગાજ્યા
- Mumbai માં પણ પ્રદુષણ વધતા ગ્રેપ-4 લાગુ : બાંધકામો પર પ્રતિબંધ
- 1 December થી મોટા ફેરફાર: વ્યાજદર ઘટી શકે છે
- Commonwealth-2030 : ગુજરાત સરકાર ખાસ કંપની સ્થાપશે : હર્ષ સંઘવી ચેરમેન બનશે
- Rohit – Virat ની સદી અને બોલરોની મહેનતથી ભારતને મળી મોટી જીત

