ગાંધીનગર, તા.૩૧
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જોકે સદનશીબે રાજ્યના કેબિનેટ મંત્રીનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજ્યનાં કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ર્ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Trending
- દક્ષિણ આફ્રિકા સામે ભારત રેકર્ડબ્રેક પરાજયના પંથે : 139 રનમાં 8 વિકેટ ગુમાવી
- સૈયદ મુશ્તાક અલી ટી20 ટુર્નામેન્ટમાં Hardik Pandya ની વાપસી
- Virat વનડે શ્રેણી રમવા માટે ભારત પહોંચ્યો : 30 નવેમ્બરે રાંચીમાં પ્રથમ મેચ
- Rajkot સહિત સૌરાષ્ટ્રમાં સવારે ધૂમ્મસ છવાયું : ધાબડ જેવું વાતાવરણ
- બીજા લગ્નનું બહાનું નહીં ચાલે, પહેલી પત્નીને ભરણ પોષણ આપો : Kerala High Court
- Magic of Music : સર્જરી દરમિયાન દર્દીને સંગીત સંભળાવવાથી એનેસ્થીસિયાની જરૂરત ઘટી!
- Income Tax Refund માં વિલંબ : `ગોલમાલ’ પકડાતા દાવાઓની ફેર – સ્ક્રુટીની
- અયોધ્યા બાદ Mathura ! કૃષ્ણ જન્મભૂમિ `મુક્તિ’ની તૈયારી

