ગાંધીનગર, તા.૩૧
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જોકે સદનશીબે રાજ્યના કેબિનેટ મંત્રીનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજ્યનાં કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ર્ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Trending
- Suratમાં રૂ।.70 હજારની લાંચ માંગનાર વિજ કંપનીનો સિની.કલાર્ક ઝડપાયો
- Delhi નાં લેન્ડ ફોર જોબ કેસની કોર્ટમાં સુનાવણી કરવામાં આવી
- ડ્રગ્સ મુદ્દે ડિબેટ કરવા ignesh Mevani નો ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર
- Canada: આવક કરતાં જાવક વધી જતાં ભારતીયો માટે ‘ગુજરાન’ ચલાવવું મુશ્કેલ બન્યું
- બોમ્બની ધમકીને પગલે અમદાવાદ એરપોર્ટ પર Hyderabad ની ફ્લાઈટનું ઈમરજન્સી
- SIR દરમિયાન BLOના મૃત્યુ પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી
- Bhavnagar ચિલ્ડ્રન હોસ્પિટલ સહિતના કોમ્પ્લેક્ષમાં આગ
- Bhavnagar ખનીજ ચોરીનું કૌભાંડ ઝડપાયું : સવા કરોડની રેતી-વાહનો જપ્ત

