ગાંધીનગર, તા.૩૧
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જોકે સદનશીબે રાજ્યના કેબિનેટ મંત્રીનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજ્યનાં કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ર્ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Trending
- Jamnagar માં વિવિધ વિકાસ કામો માટે રૂ.9 કરોડ 61 લાખના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી
- અમારી પાસે જાદુની છડી નથી, સરકારે બનાવેલી કમિટીની સમીક્ષા જરૂરી: દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ
- Adani Global Indology Conference માં આધુનિક રામ અને કૃષ્ણનો અદભૂત સંવાદ યોજાયો
- Gautam Adani ની ઇન્ડોલોજી મિશનને રુ.૧૦૦ કરોડની સખાવતની જાહેરાત
- Mrs. Sudha Murthy ની પ્રેરક હાજરીમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બુકફ્લિક્સ 2025નો આરંભ
- વર્ષ 2026 ના પહેલા છ માસમાં Adani નું સંગીન પ્રદર્શન
- Surendaranagar: એસઓજી પોલીસે હરતું ફરતું પેટ્રોલ પંપ ઝડપી લીધું..!
- Surendaranagar: ચોટીલાના શખ્સને ચેક રિટર્ન કેસમાં કોર્ટે એક વર્ષની સજા ફટકારી

