ગાંધીનગર, તા.૩૧
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જોકે સદનશીબે રાજ્યના કેબિનેટ મંત્રીનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજ્યનાં કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ર્ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Trending
- Rajkot સહિત સૌરાષ્ટ્રમાં સવારથી ધ્રુજાવતા બર્ફીલા પવનો
- knee-hip replacement માં `ઈમ્પ્લાંટનુ’ 15 – 25 વર્ષનું આયુષ્ય: ઈમ્પ્લાન્ટ આજીવન નથી
- સગીરા પર સામૂહિક દુષ્કર્મ કેસમાં ધ્રોલ પોલીસની ઘોર બેદરકારી : High Court લાલઘુમ
- હવાઈ પ્રવાસીઓની મદદે Railway : 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ જોડાયા
- કોઈને સાંભળ્યા વિના દોષી ન ઠેરવી શકાય : High Court
- ચાર દિવસના ઘટાડા બાદ ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ રિકવરી…!!
- નિફટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
- Hardik Pandya અને ગિલની ટીમમાં વાપસી; સૂર્યકુમાર યાદવ કૅપ્ટન

