ગાંધીનગર, તા.૩૧
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જોકે સદનશીબે રાજ્યના કેબિનેટ મંત્રીનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજ્યનાં કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ર્ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Trending
- નિફટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
- Hardik Pandya અને ગિલની ટીમમાં વાપસી; સૂર્યકુમાર યાદવ કૅપ્ટન
- Virat and Gaekwad ની સદી એળે ગઈ, રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાની 4 વિકેટથી જીત
- Kohli એ સતત બીજી સદી ફટકારતા ગૂંજી ઉઠ્યું સ્ટેડિયમ, ગાયકવાડનો પણ રેકોર્ડ
- કેપ્ટન બદલાયા પણ ભાગ્ય નહીં, Team India સતત 20મી વખત વન-ડેમાં ટોસ હારી
- Suratમાં રૂ।.70 હજારની લાંચ માંગનાર વિજ કંપનીનો સિની.કલાર્ક ઝડપાયો
- Delhi નાં લેન્ડ ફોર જોબ કેસની કોર્ટમાં સુનાવણી કરવામાં આવી
- ડ્રગ્સ મુદ્દે ડિબેટ કરવા ignesh Mevani નો ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર

