ગાંધીનગર, તા.૩૧
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જોકે સદનશીબે રાજ્યના કેબિનેટ મંત્રીનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજ્યનાં કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ર્ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Trending
- Junagadh સાંપ્રત સંસ્થા ખાતે વિશ્વ બાળ દિવસની ઉજવણી કરવામાં આવી
- Junagadh ૧૫ વર્ષની તરૂણી એ તેમના પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ કરતા વાલીએ કાઉન્સેલીંગ માટે ૧૮૧ ની ટીમની મદદ લેવી પડી
- Junagadh મહાનગર બીજેપી દ્વારા બિહારમાં એનડીએની ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી
- હું Indo-US ભાગીદારીને મજબૂત બનાવવા માટે અમારા દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સની પ્રતિબદ્ધતા,જયશંકર
- Russia એ યુક્રેન પર ૪૩૦ ડ્રોન અને ૧૮ મિસાઇલોથી વધુ એક મોટો હુમલો કર્યો, જેમાં ૬ લોકો માર્યા ગયા
- Trump ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડી દીધો છે, અને આ વસ્તુઓ હવે સસ્તી થશે
- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ૮૦ વર્ષ જૂની વ્યવસ્થા બદલવાનો સમય આવી ગયો છે,India
- Delhi Blast ના આરોપી ઉમરની નવી તસવીર આવી સામે

