ગાંધીનગર, તા.૩૧
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચોટીલા નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. જોકે સદનશીબે રાજ્યના કેબિનેટ મંત્રીનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અકસ્માત સ્થળ પર પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર, રાજ્યનાં કૃષિમંત્રી મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જઈ રહ્યા હતા. તે દરમિયાન ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ રાઘવજી પટેલને ચમત્કારીક બચાવ થયો હતો. અકસ્માતના પગલે હાઇવે પર ર્ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Trending
- રિક્ષા ચોરીના આરોપીને Junagadh બી ડિવીઝન પોલીસે પકડી પાડી, રિક્ષા ચોરીનો ગુન્હો ડિરેકટ કરી
- Lodhika and Dhoraji માં વિદેશી દારૂના દરોડા: બે ઝડપાયા
- Amreli: નાની કુંડળ ગામે દાદા એ ઠપકો આપતા તરુણીએ એસિડ પીધું
- Amreli: થાવડી ગામે આખલાએ વૃદ્ધાને ઢીંક મારી
- Kutch: ભચાઉના વાંઢીયા ગામે તળાવમાં ડૂબી જવાથી બે બાળકોના મોત
- Gondal: ભાજપ અગ્રણીઓ દ્વારા વેપારીને વિશ્વાસમાં લઈ ઠગાઈ કરી હોવાનો આરોપ
- Junagadh: કારમાં પોલીસનો બોર્ડ મારી ફરતા ગોંડલના એક શખ્સને પકડી પાડતી બી ડિવિઝન પોલીસ
- Junagadh: પોલીસ એકશન મોડમાં : રોફ જમાવતા વાહન ચાલકોની હવે ખેર નથી

