Surendranagar,તા.06
સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતમાં ઈકો કાર અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર જઈ હતી, જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હોવાની જાણકારી સામે આવી છે. આ અકસ્માતમાં અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે એમ છે.
મળતી માહિતી મુજબ, ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માત બાદ સ્થાનિક અને રાહદારીઓ તુરંત દોડી આવ્યા હતાં અનેસ પોલીસ અને એમ્બ્યુલન્સને સમગ્ર મામલે જાણકારી આપી હતી. ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ, પોલીસે મૃતકોના મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ કરવા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યાં છે. ઘટનાને પગલે સમગ્ર હાઇવે પર ભારે ચક્કાજામની સ્થિતિ જોવા મળી હતી. પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.